• Home
  • News
  • હાલોલમાં કાર ચાલકે નવ વ્યક્તિને લીધા અડફેટે, એકનું મોત
post

હાલોલ ટોલ પ્લાઝા પાસે ગઇકાલે એટલે મંગળવારે મોડી રાતે કાર ચાલકે નવ વ્યક્તિને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-06 12:06:53

પંચમહાલ : હાલોલ ટોલ પ્લાઝા પાસે ગઇકાલે એટલે મંગળવારે મોડી રાતે કાર ચાલકે નવ વ્યક્તિને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે સાત ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે હાલોલ ટોલ પ્લાઝા પાસે એક વ્યક્તિ નાઇટ શિફ્ટ કરીને ઘરે પરત ફરી રહ્યાં હતાં. ત્યારે એક બાઇક વચ્ચે આવી જતા તેને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે સાત ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા છે. આ અકસ્માતને પગલે મોટા પ્રમાણમાં લોકો ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતાં.ઇજાગ્રસ્તોનાં પરિવારે કાર ચાલક પર રોષ ઠાલવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.