હાલોલ ટોલ પ્લાઝા પાસે ગઇકાલે એટલે મંગળવારે મોડી રાતે કાર ચાલકે નવ વ્યક્તિને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે
Written By newsonline | Ahmedabad | Published: 2019-11-06 12:06:53
પંચમહાલ : હાલોલ ટોલ પ્લાઝા પાસે ગઇકાલે એટલે મંગળવારે મોડી રાતે કાર ચાલકે નવ વ્યક્તિને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે સાત ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે હાલોલ ટોલ પ્લાઝા પાસે એક વ્યક્તિ નાઇટ શિફ્ટ કરીને ઘરે પરત ફરી રહ્યાં હતાં. ત્યારે એક બાઇક વચ્ચે આવી જતા તેને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે સાત ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા છે. આ અકસ્માતને પગલે મોટા પ્રમાણમાં લોકો ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતાં.ઇજાગ્રસ્તોનાં પરિવારે કાર ચાલક પર રોષ ઠાલવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.