લોકોએ આક્ષેપ કર્યો છેકે તંત્ર તરફથી તેઓને કોઈ સરખી મદદ નથી મળતી
Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 11:34:30
અમદાવાદ: કોરોના વાઇરસના 6થી વધુ
પોઝિટિવ કેસના પગલે ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવેલા ગુલબાઇ ટેકરાના સ્લમ
વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ હોબાળો કર્યો છે. ક્વોરન્ટીન કરવા લગાવાયેલા
પતરા અને બેરીકેટ તોડી નાખ્યા હતા. લોકોએ આક્ષેપ કર્યો છેકે તંત્ર તરફથી તેઓને કોઈ
સરખી મદદ નથી મળતી જેના કારણે તેઓને તકલીફ પડી રહી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ
ઘટના સ્થળ પર પહોંચી હાલ મામલાને થાળે પાડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે જરૂરી
તમામ વસ્તુઓ તંત્ર દ્વારા પહોંચાડવામાં આવશે.