જાહેર જીવનમાં હંમેશા સક્રિય રહીશ પણ ભાજપમાં જોડાવું કે નહીં તે સમય જોઈ નક્કી કરીશ
રાજકોટ: મોરબીના ધારાસભ્ય
બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યા બાદ તેમના રાજીનામા પાછળ પૈસા અને સત્તાનો ખેલ
હોવાનો ધાનાણીએ આક્ષેપ કર્યો હતો. જેની સામે મેરજાએ તીખા પ્રહાર કર્યા હતા.
પ્રશ્ન: કોંગ્રેસમાંથી
રાજીનામું આપવાનું કારણ શું?
મેરજા:
સંગઠન કરનારા જ પક્ષમાં સંગઠન તોડી રહ્યા છે, પ્રભાવી રાજીવ સાતવને અનેકવાર ફરિયાદ કરી પણ ‘ચલતા હે, હોતા હે’ બસ એવું જ ચાલ્યું. અંતે
હું થાક્યો.
પ્રશ્ન: રાજીનામા માટે આ જ સમય
પસંદ શા માટે કર્યો ?
મેરજા:
જો આડા દિવસે રાજીનામું આપું તો તેની કોઇ અસર ન થાય તેથી જ આ સમયે રાજીનામું
આપ્યું જેથી બધાને ખ્યાલ આવે અને નોંધ લેવાય.
પ્રશ્ન: સોદાબાજી, દબાણ વગેરે જેવા આક્ષેપ
શું કામ થઈ રહ્યા છે ?
મેરજા:
મારી સામે ઝેર ઓકનારાઓને એટલું જ કહીશ કે જેવું તેવું બોલીને મારા મોઢામાં આંગળા ન
નાખો હું બોલ્યો તો બધા ખુલ્લા પડી જશે.
પ્રશ્ન: ભાજપમાં ક્યારે જોડાશો
?
મેરજા:
ભાજપમાં જોડાઈશ કે નહીં તે સમયનો તકાજો જોઈને નિર્ણય લઈશ. પેટાચૂંટણી માટે પણ હજુ
રાહ જોઈ રહ્યો છું. હા,
પણ
એટલું ચોક્કસ છે કે હું ભાગવાનો નથી.