શાહીનબાગમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની વચ્ચે દેખાવકારોના ટેન્ટ હટાવવામાં આવી રહ્યાં છે
Written By newsonline | Ahmedabad | Published: 2020-03-24 08:42:42
નવી દિલ્હીઃ દિલ્હીના શાહીનબાગમાં છેલ્લા 100 દિવસથી ચાલી રહેલા નાગરિકતા સંશોધન કાનૂન(CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર(NCR)ની વિરુદ્ધના ધરણાને હટાવવાની કાર્યવાહી શરૂ
થઈ ગઈ છે. દેખાવકારોને હટાવવા માટે મંગળવાર સવારથી દિલ્હી પોલીસ અધિકારીઓ અને
પોલીસકર્મીઓની ફોજ દેખાવના સ્થળે પહોંચી ગઈ છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે
તેઓ દેખાવના સ્થળને ખાલી કરે.
શાહીનબાગમાં મોટી
સંખ્યામાં પોલીસ ફોર્સની વચ્ચે દેખાવકારોના ટેન્ટ હટાવવામાં આવી રહ્યાં છે. ઘટના
સ્થળે દિલ્હીના પોલીસ જવાનોની સાથે પેરામિલેટ્રીના જવાનો પણ હાજર છે. આ અંગે પોલીસે
જણાવ્યું હતું કે કોરોનાને ધ્યાનમાં રાખીને એકા-એક દેખાવકારોને જગ્યા ખાલી
કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે સોમવારે રાતથી જ આ અંગેની હલચલ શરૂ થઈ ગઈ
હતી.