• Home
  • News
  • પોલીસ અધિકારીઓએ છબી સુધારવી પડશે, જેથી મહિલાઓ-બાળકો અને સમાજમાં વિશ્વાસ સર્જાય: મોદી
post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે DG-IG કોન્ફોરન્સમાં કહ્યું કે મહિલાઓને સુરક્ષિત હોવાનો અનુભવ કરાવવા માટે પોલીસે પ્રભાવી રીતે કામ કરવું પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-09 10:22:14

પુના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે DG-IG કોન્ફોરન્સમાં કહ્યું કે મહિલાઓને સુરક્ષિત હોવાનો અનુભવ કરાવવા માટે પોલીસે પ્રભાવી રીતે કામ કરવું પડશે. તેમણે કહ્યું કે પોલીસ અધિકારીઓએ દરેક સમયે પોતાની છાપ સુધારવા માટે કામ કરવું જોઈએ, જેથી સમાજના દરેક વર્ગમાં વિશ્વાસ પેદા થાય, ખાસ કરીને બાળકો અને મહિલાઓમાં. વડાપ્રધાનનું આ નિવેદન એવા સંજોગોમાં આવ્યું છે કે જ્યારે મહિલા અપરાધો સતત વધી રહ્યાં છે અને તેના પગલે લોકોમાં પણ આક્રોશ છે.

મોદીએ કહ્યું કે સક્રિય પોલીસિંગ સુનિશ્ચિત કરવામાં ટેકનીક એ ખૂબ ઉપયોગી સાધન છે. તેનાથી સામાન્ય માણસોની પ્રતિક્રિયાઓ પણ એકત્રિત કરી શકાય છે. જોકે તેમણે એ વાત કહી કે જ્યારે પોલીસ કર્મચારીઓમાં શંકાની સ્થિતિ સર્જાય તો, તેમણે પોતાના આદર્શો અને તે ભાવનાને યાદ કરવી જોઈએ, જેને લઈને તેઓ સિવિલ સેવાની પરીક્ષામાં બેઠા હતા. પોલીસે હમેશાં દેશના હિતમાં કામ કરવું જોઈએ, જેથી સમાજના સૌથી નબળા અને ગરીબ વર્ગનું કલ્યાણ કરી શકાય.