• Home
  • News
  • રાજ્યમાં માત્ર 6 તાલુકામાં વરસાદ, સતત ઉકળાટમાં વધારો થતાં પ્રજા પરેશાન
post

ભરૂચના વાલિયામાં 9 મિમિ અને નેત્રંગમાં 7 મિમિ વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-29 11:00:31

ગાંધીનગર: રાજ્યમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. જોકે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કંઈ ખાસ વરસાદવરસ્યો ન હતો. ભરૂચ જિલ્લાના વાલિયામાં સૌથી વધુ 9 મિમિ અને નેત્રંગમાં 7 મિમિ વરસાદ પડ્યો હતો.  અમરેલીના લાઠીમાં 7 મિમિ, વલસાડના ઉમરગામમાં 6 મિમિ વરસાદ નોઁધાયો હતો. નવસારીના ગણદેવી અને વલસાડના કપરાડામાં 1-1 મિમિ વરસાદ નોંધાયો છે રાજ્યમાં સતત ઉકળાટ વધી રહ્યો છે. જેના પગલે પ્રજા પરેશાન છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી સુરતના ચોર્યાસીમાં 4 મિમિ વરસાદ પડ્યો છે.

રાજ્યના 4 સ્થળે નોંધાયેલા વરસાદના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

ભરૂચ

વાલિયા

9

અમરેલી

લાઠી

7

ભરૂચ

નેત્રંગ

7

વલસાડ

ઉમરગામ

6

સુરત શહેરના મોટાભાગના વિસ્તારમાં હળવો વરસાદ
છેલ્લા બે દિવસથી અસહ્ય બફારા વચ્ચે આજે વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી સુરત શહેરના મોટાભાગના વિસ્તારમાં હળવો વરસાદ પડી રહ્યો છે. આગામી બે દિવસ સુધી હજુ વાતાવરણ સામાન્ય જ રહેશે. જુલાઇના પહેલા અઠવાડિયાથી વરસાદનું જોર વધે એવી શક્યતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post