• Home
  • News
  • રાજસ્થાન ફરવા ગયેલા ગાંધીનગરના પરિવારની કાર તળાવમાં ડૂબી, 3નાં મોત
post

ગાંધીનગર થી કુંભલગઢ ફરવા આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો રાજસ્થાનના રાજસમંદમાં ઓડા તળાવમાં કાર સહિત ડૂબી ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-06 13:42:35

રાજસ્થાન : ગાંધીનગર થી કુંભલગઢ ફરવા આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો રાજસ્થાનના રાજસમંદમાં ઓડા તળાવમાં કાર સહિત ડૂબી ગયા. આ દુર્ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે તેમના પરિજનોએ તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો ફોન ન લાગ્યો. ત્યારબાદ તેઓએ અમદાવાદમાં તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી. પોલીસને મોબાઇલ ફોનના લોકેશનના આધારે દુર્ઘટનાની જાણકારી મેળવી. અમદાવાદ પોલીસે કેલવાડા પોલીસ સ્ટેશનની મદદ માંગી. તેની પર પોલીસ અધિકારી શૈતાન સિંહ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ક્રેન સહિત ડાઇવર્સની મદદથી તળાવમાં શોધખોળ શરૂ કરી તો બે શબ મળ્યા જ્યારે અન્ય એકની શોધખોળ ચાલી રહી છે.

પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, દિવાળીના બીજા દિવસે રોનક અલ્પેશ અને મંથન ગાંધીનગરથી સ્વિફ્ટ કારમાં સવાર થઈને નાથદ્વારા ફરવા રવાના થયા હતા. ત્યાં દર્શન કર્યા બાદ તેઓ ઉદેયપુર ગયા. અહીંથી તેઓ કુંભલગઢ જવા માટે રવાના થયા.

આ દરમિયાન ઓડા તળાવની પાસે તેમની કાર અનિયંત્રિત થઈને તળાવમાં જઈને પડી અને દુર્ઘટના સર્જાઈ. મોડી રાત્રે ઘટનાસ્થળે કેલવાડા અને અમદાવાદ પોલીસની સાથે મોટી સંખ્યામાં ગામના લોકો હાજર હતા. બચાવ ટીમ શબોની શોધખોળમાં લાગી ગઈ હતી. ત્રણેયના મોતના સમાચાર મળતાં જ અમદાવાદથી કેલવાડા પહોંચેલા પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે.