• Home
  • News
  • ડાકોરના રણછોડરાય આજથી ભક્તોને દર્શન આપશે
post

લૉકડાઉનના 80થી વધારે દિવસો બાદ મંદિર દર્શન માટે ઉઘડી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-18 11:50:48

અમદાવાદ: ડાકોરનું રણછોડરાયનું મંદિર આજથી દર્શન માટે ખોલવામાં આવી રહ્યું છે. લૉકડાઉનના 80થી વધારે દિવસો બાદ મંદિર દર્શન માટે ઉઘડી રહ્યું છે. મંદિરના વ્યવસ્થાપકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે વિશેષ વ્યવસ્થા કરી છે.  

સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ભીડની સ્થિતિ સર્જાય નહીં એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં માસ્ક વિના ભક્તોને પ્રવેશ અપાશે નહીં તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post