હાર્દિક પંડ્યા ટી-20 સિરીઝમાં કેપ્ટનશિપની કમાન સંભાળી શકે છે
મુંબઈ: ટી-20 વર્લ્ડ કપ 2022 બાદ ભારતીય ટીમ
ન્યૂઝીલેન્ડના પ્રવાસે ત્રણ ટી-20 અને 3 વન-ડે મેચની શ્રેણી માટે રવાના થશે. ન્યુઝીલેન્ડ
પ્રવાસ પર ટી-20
શ્રેણી
માટે રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય ટીમનો ભાગ નહીં હોય. હાર્દિક પંડ્યા ટી-20 સિરીઝમાં કેપ્ટનશિપની
કમાન સંભાળી શકે છે. રિપોર્ટ અનુસાર કે.એલ.રાહુલ પણ ટીમનો ભાગ નહીં હોય. ભારત અને
ન્યુઝીલેન્ડ વચ્ચે 18
નવેમ્બરથી
ત્રણ ટી-20
મેચોની
સિરીઝ શરૂ થઈ રહી છે. 29
વર્ષીય
હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી ત્રણ T20 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ
કરી છે. તે રોહિત શર્મા,
વિરાટ
કોહલી અને ભુવનેશ્વર કુમાર પછી ભારતીય ટીમનો સૌથી અનુભવી T20 ખેલાડી છે. તેણે ટીમ
ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 76 T20 મેચોમાં ભાગ લીધો છે.
ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ભારતીય
ટીમનો સમયપત્રક
1લી T20 - 18 નવેમ્બર
2જી T20 - 20 નવેમ્બર
3જી T20 - 22 નવેમ્બર
1લી વન-ડે - 25 નવેમ્બર
2જી વન-ડે - 27 નવેમ્બર
ત્રીજી
વન-ડે - 30
નવેમ્બર