• Home
  • News
  • ઈજાગ્રસ્ત શિખર ધવન ન્યૂઝીલેન્ડ સામેની T-20 સીરિઝમાંથી બહાર થયો
post

ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લુરુ ખાતેની ત્રીજી વનડેમાં આરોન ફિન્ચના એક શોટને રોકવા જતા ધવને કવર પોઇન્ટ પર ડાઇવ લગાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-22 11:11:29

ઇન્ડિયન ઓપનર શિખર ધવન ન્યૂઝીલેન્ડ સામેની પાંચ T-20 મેચની સીરિઝમાંથી ખભાની ઇજાના લીધે બહાર થઇ ગયો છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ જવા ગઈ કાલે રવાના થઇ હતી અને ધવન તેમની સાથે જોડાયો નહોતો. સિલેક્ટર્સે હજી સુધી ધવનના રિપ્લેસમેન્ટ તરીકે કોઈની જાહેરાત કરી નથી.

 

ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લુરુ ખાતેની ત્રીજી વનડેમાં આરોન ફિન્ચના એક શોટને રોકવા જતા ધવને કવર પોઇન્ટ પર ડાઇવ લગાવી હતી. તે દરમિયાન તેના ડાબા ખભે ઇજા થઇ હતી. તે રનચેઝ કરવા બેટિંગ માટે આવ્યો નહોતો અને રાહુલે રોહિત સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ભારતે અંતિમ વનડેમાં કાંગારુંને હરાવી સીરિઝ 2-1થી પોતાના નામે કરી હતી.

 

ભારતીય સ્ક્વોડ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મો. શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા અને શાર્દૂલ ઠાકુર