તેમણે કહ્યું, જો કોઈ અમીર વ્યક્તિ જેલમાં હોય તો કાયદો તેનું કામ ઝડપથી કરે છે, પરંતુ ગરીબોના કેસમાં વિલંબ થાય છે
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના જજ
જસ્ટિસ દીપક ગુપ્તા બુધવારે નિવૃત્ત થયા હતા. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમને
ફેરવેલ આપવામાં આવ્યું હતું. દેશના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું. જસ્ટિસ ગુપ્તાએ
પોતાના સંબોધનમાં ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, દેશની લીગલ સિસ્ટમ ધનિક
અને શક્તિશાળીની તરફેણમાં આવી ગઈ છે. જજ ઓસ્ટ્રિચની જેમ માથું છુપાવી શકતા નથી, તેમણે જ્યુડિશિયરી
સમસ્યાઓ સમજીને તેનું સમાધાન લાવું જોઈએ.
'અમીર જામીન પર હોય તો
સુનાવણીમાં વિલંબ કરવા માંગે છે'
જસ્ટિસ
ગુપ્તાએ કહ્યું કે,
જો
કોઈ ધનિક વ્યક્તિ જેલની પાછળ હોય તો કાયદો તેનું કામ ઝડપથી કરે છે, પરંતુ ગરીબોના કેસમાં
વિલંબ થાય છે. શ્રીમંત લોકો ઝડપી સુનાવણી માટે ઉચ્ચ અદાલતોમાં પહોંચે છે પરંતુ
ગરીબો આમ કરવામાં અસમર્થ છે. બીજી તરફ, જો કોઈ ધનિક વ્યક્તિ જામીન પર હોય, તો તેને સુનાવણીમાં
વિલંબ કરવા માટે ઉચ્ચ અદાલતોમાં જવું પોસાશે.
અદાલતોએ
ગરીબોનો અવાજ સાંભળવો જ જોઇએ'
તેમણે
કહ્યું કે,
ન્યાયપાલિકાએ
જ તેની શ્રદ્ધા બચાવવી જોઈએ. દેશની જનતાને ન્યાયતંત્રમાં ખૂબ વિશ્વાસ છે. હું
વકીલોને કાયદાને બદલે રાજકીય અને વૈચારિક આધારે દલીલો કરતો જોઉં છું. એવું ન થવું
જોઈએ. કટોકટીના સમયે,
ખાસ
કરીને હાલના સંકટમાં,
મારા
અને તમારા બંધારણીય હકોનું ઉલ્લંઘન કરવામાં આવશે નહીં. પરંતુ, હંમેશાં ગરીબોમાં આ જ
સ્થિતિ રહે છે. તે લોકોનો અવાજ સંભળાયો નથી, તેથી તેમને ભોગવવું પડે છે. જો કોઈ પોતાનો અવાજ
ઉઠાવશે, તો કોર્ટોએ સાંભળવું જ
જોઇએ. તેમના માટે જે કંઇ પણ કરી શકાય છે, કરવું જોઈએ.
જસ્ટિસ
ગુપ્તા 2017માં સુપ્રીમ કોર્ટના જજ
બન્યા હતા
જસ્ટિસ
ગુપ્તા ત્રિપુરા હાઇકોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ બન્યા. તે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના
જજ પણ રહી ચૂક્યા છે. 2017માં સુપ્રીમ કોર્ટના જજ
બન્યા. સુપ્રીમ કોર્ટના ત્રણ વર્ષમાં તેમણે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા. સગીર
પત્નીની સહમતિ હોવા છતાં સેક્સને બળાત્કાર માનવામાં આવશે, આ નિર્ણય પણ જસ્ટિસ
ગુપ્તાએ આપ્યો હતો.