• Home
  • News
  • રમત મંત્રી અનુરાગ ઠાકુરે મીરાબાઈ ચાનુ અને તેના કોચ વિજય શર્માનું કર્યું સન્માન
post

ટોક્યો ઓલિમ્પિક્સમાં 49 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ આજે રાજધાની દિલ્હી પહોંચી હતી, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-27 11:30:38

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સમાં 49 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ આજે રાજધાની દિલ્હી પહોંચી હતી, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મીરાબાઈને દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યા ત્યારે સુરક્ષા દળો દ્વારા તેને લઈ જવામાં આવી હતી જ્યાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ના અધિકારીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ચાનુને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું.

દિલ્હીમાં મીરાબાઈ ચાનુ અને તેના કોચ વિજય શર્માને કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુર અને કેન્દ્રીય મંત્રી જી.કે. રેડ્ડી, ભૂતપૂર્વ રમત મંત્રી કિરેન રિજિજુ અને આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને નિસિથ પ્રમાણિક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

મીરાબાઈએ દેશ પરત ફર્યા બાદ ટ્વિટ કરીને કહ્યું કે, "ખૂબ જ પ્રેમ અને સમર્થન વચ્ચે અહીં પાછા ફરવા બદલ ખુશ છું. ખૂબ ખૂબ આભાર." 26 વર્ષીય લિફ્ટરે ટોક્યો છોડતા પહેલા જ ટ્વિટ કર્યું હતું. પછી તેણે લખ્યું, "ઘરે પાછા જવું. મને મારા જીવનની યાદગાર ક્ષણ આપવા બદલ આભાર ટોક્યો 2020."