ગોવાના કોરોના મુક્ત થયાના 25 દિવસ પછી મહારાષ્ટ્ર અને ગુજરાત પરત આવેલા 7 લોકો એક જ દિવસમાં સંક્રમિત હોવાનું સામે આવ્યું, આ મહિને 260 નવા દર્દીઓ મળ્યા
નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશમાં 1 એપ્રિલે કોરોનાનો પ્રથમ
કેસ નોંધાયો હતો. સારવાર પછી સંક્રમિત સાજો થયો અને 17 એપ્રિલે તેને
હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. એકમાત્ર કોરોના દર્દી સ્વસ્થ થયા બાદ અરૂણાચલને
કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું.
આવતા
10 દિવસમાં આ યાદીમાં વધુ
ચાર રાજ્યોના નામ જોડાયા. આ ચાર રાજ્યો ગોવા, મણિપુર, ત્રિપુરા અને મિઝોરમ હતા. આ રાજ્યોએ પણ તેમને ત્યાં
રહેલા કોરોના સંક્રમિતોને સ્વસ્થ કરીને પોતે કોરોના મુક્ત થયા હોવાની જાહેરાત કરી
હતી.
એપ્રિલમાં કોરોના મુક્ત થયા, મે મહિનામાં કેસમાં વધારો થયો
એપ્રિલમાં
નવા કેસો ન મળ્યાના ઘણા દિવસો પછી, કોરોના સામે આ રાજ્ય સરકારોની વધુ સારી તૈયારીની
ચર્ચા થઈ હતી પરંતુ મે મહિનામાં સંક્રમણના કેસ આ બધા રાજ્યોમાં પાછા ફર્યા હતા.
પાંચ રાજ્યોમાંથી ચાર એવા રાજ્યો હતા જ્યાં કોવિડ -19ની વાપસી અન્ય રાજ્યોથી
લોકો પરત ફરતા થઈ હતી. આ તે લોકો હતા જે લોકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા
હતા.
કોરોના મુક્ત થયેલા 5 રાજ્યોમાં 9 દિવસમાં 1134 સંક્રમિત મળ્યા
હવે
જૂનમાં, આ 5 રાજ્યોમાં સ્થિતિ એ છે
કે છેલ્લા 9
દિવસમાં
1134 નવા સંક્રમિત મળી આવ્યા
છે અને તેમની સતત વૃદ્ધિની અપેક્ષા છે. જોકે, એક સારી વાત એ પણ છે કે આ પાંચ રાજ્યોમાં કોરોનાથી
એકપણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી.
અરુણાચલ પ્રદેશ 38 દિવસ સુધી કોરોના મુક્ત રહ્યું, છેલ્લા 9 દિવસમાં 53 નવા કેસ નોંધાયા
17 એપ્રિલના
રોજ કોરોના મુક્ત થનાર અરુણાચલમાં 38 દિવસ પછી એટલે 24 મેના રોજ કોરોનાની વાપસી
થઈ. 18 મેના રોજ દિલ્હીથી એક
વિદ્યાર્થી અરુણાચલ પરત આવ્યો. 22 મેના રોજ તેનો કોરોના ટેસ્ટ કરાયો અને 2 દિવસ પછી તે સંક્રમિત
હોવાનું સામે આવ્યું હતું.
આ
પછી ત્રીજો કેસ 27
મેના
રોજ અને ચોથો 31
મેના
રોજ મળ્યો હતો. આ બંને ચેપગ્રસ્ત પણ અન્ય રાજ્યોથી પાછા ફર્યા હતા. 31 મે સુધી રાજ્યમાં
ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 4 હતી, જે હવે 57 પર પહોંચી ગઈ છે. એટલે કે, જો આપણે છેલ્લા 9 દિવસની સરેરાશ જોઈએ, તો દરરોજ 6 નવા કેસ આવી રહ્યા છે.
ગોવા એપ્રિલમાં કોરોના મુક્ત થયું હતું
25 માર્ચે
ગોવામાં કોરોનાનું આગમન થયું હતું. એક જ દિવસમાં ત્રણ કેસ મળી આવ્યા હતા. ત્રણેય
વિદેશ પ્રવાસ કરી ચૂક્યા હતા. 4 એપ્રિલ સુધીમાં, આ ત્રણેય લોકો સાથે જોડાયેલા લોકોના કોન્ટેકટ
ટ્રેસિંગ દરમિયાન,
અહીંના
કુલ કેસની સંખ્યા 7
થઈ
ગઈ હતી. આ બધાને 19
એપ્રિલ
સુધી રિકવરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ગોવા પછીના 25 દિવસ કોરોના મુક્ત રાજ્ય રહ્યું પરંતુ 14 મેના રોજ અહીં 7 નવા કેસ મળી આવ્યા. આ લોકોમાંથી 5 એક જ પરિવારના હતા. તે મહારાષ્ટ્રના સોલાપુરથી પરત આવ્યા હતા. બાકીના 2 શખ્સો ટ્રક ડ્રાઇવરો હતા, જેઓ ગુજરાત અને મુંબઇથી પણ પાછા ફર્યા હતા .14 મે પછી ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થયો. હવે અહીં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 330 થઈ ગઈ છે. 7 જૂને અહીં 71 નવા કેસ મળી આવ્યા હતા. તેમાંથી 62 કન્ટેનમેન્ટ ઝોનમાંથી મળ્યા હતા અને બાકીના 9 બહારથી પરત આવ્યા હતા.
મણિપુરમાં જૂનમાં દરરોજ સરેરાશ 24 નવા કેસ મળી રહ્યા છે
મણિપુરમાં
23 માર્ચે પહેલો કેસ સામે
આવ્યો હતો. બ્રિટનથી પરત આવેલી 21 વર્ષીય યુવતીને કોરોના ચેપ લાગ્યો હતો, જેને 12 એપ્રિલના રોજ રજા પણ
આપવામાં આવી હતી. દરમિયાન,
2 એપ્રિલના
રોજ, નિઝામુદ્દીન, દિલ્હીના મરકઝથી પરત
આવેલા 56
વર્ષિય
વૃદ્ધને પણ કોરોના ચેપ લાગ્યો હતો.
20 એપ્રિલે તે પણ સ્વસ્થ
થઈને ઘરે પાછો ગયો. આ રીતે,
20 એપ્રિલે, અહીં સક્રિય કેસ શૂન્ય
હતા, પરંતુ 14 મેના રોજ, મુંબઈથી આવેલા 31 વર્ષના છોકરા સાથે
કોરોનાની વાપસી થઈ. બીજા દિવસે, 15 મેના રોજ કોલકાતાથી પરત આવેલા નર્સિંગ પ્રોફેશનલને પણ
ચેપ લાગ્યો હતો. આ પછી,
અહીં
કોરોના પોઝિટિવનો ગ્રાફ વધ્યો. છેલ્લા 9 દિવસમાં, અહીં 210 નવા કેસ નોંધાયા છે.
ત્રિપુરા 23 એપ્રિલે કોરોના મુક્ત જાહેર કરાયું હતું
ત્રિપુરામાં
પહેલો કેસ 6
એપ્રિલના
રોજ જોવા મળ્યો હતો. ગુવાહાટીથી પરત ફરતી એક મહિલાને રાજ્યના ઉદયપુર શહેરમાં ચેપ
લાગ્યો હતો,
જેને
16 એપ્રિલના રોજ સારવાર બાદ
રજા આપવામાં આવી હતી. તે જ દિવસે ત્રિપુરા સ્ટેટ રાઇફલના એક વ્યક્તિનો રિપોર્ટ
પોઝિટિવ આવ્યો હતો. સારવાર બાદ તેને 23 એપ્રિલે નેગેટિવ રિપોર્ટ આવ્યા
પછી રજા આપવામાં આવી હતી. તે જ દિવસે સીએમ બિપલ્બે રાજ્યને કોરોના મુક્ત જાહેર
કર્યું હતું.
9 દિવસ પછી, એટલે કે 2 મેના રોજ, ત્રિપુરાના અંબાસા
બીએસએફના 138
મી
યુનિટના બે જવાનો સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. એક દિવસ પછી વધુ 12 જવાન સંક્રમિત મળ્યા
હતા. અત્યારે અહીં 646
એક્ટિવ
કેસ છે. તે જ સમયે,
જૂનમાં
570 નવા કેસ નોંધાયા છે, દરરોજ સરેરાશ 64 નવા સંક્રમિત જોવા મળે
છે.
મિઝોરમમાં છેલ્લા 9 દિવસમાં 41 કેસ સામે આવ્યા
મિઝોરમમાં
પ્રથમ અને બીજા કેસ વચ્ચે 68
દિવસનું
અંતર હતું. 24
માર્ચે
અહીં પહેલો કેસ જોવા મળ્યો હતો. પેસ્ટોર નામનો વ્યક્તિ, જે 16 માર્ચે નેધરલેન્ડથી પરત
ફર્યો હતો,
તેને
કોરોના ચેપ લાગ્યો હતો. તે 27 એપ્રિલે સ્વસ્થ થઈ ગયો હતો. જોકે તેને 9 મેના રોજ રજા આપવામાં
આવી હતી.
આ
સાથે મિઝોરમને કોરોના ફ્રી સ્ટેટ જાહેર કરાયો હતો. મિઝોરમ 31 મે સુધી કોરોના મુક્ત
રહ્યું હતું. પરંતુ 1
જૂનના
રોજ અહીં 12
નવા
કેસ મળી આવ્યા હતા. તેમાંથી 10 દિલ્હીથી અને 2 કોલકાતાથી આવ્યા હતા.