ગૃહ મંત્રાલયની તાત્કાલિક અસરથી મંજૂરી, સરકારને ગરબા કરાવવામાં ચૂંક આવે છે જ્યારે પોતાના સ્વાર્થ માટે કોઈ વાંધો આવતો હોય તેમ લાગતું નથી
કેન્દ્રીય
ગૃહમંત્રાલયે તાત્કાલિક અસરથી ચૂંટણીવાળા રાજ્યોમાં ગમે એટલી ભીડ ભેગી કરવાને
મંજૂરી આપતાં જાણે કોરોના ફેલાવાનો તખ્તો ઘડાઈ ગયો હોય તેમ લાગે છે. એકબાજુ
નવરાત્રી દરમિયાન ગરબાને મંજૂરી આપવામાં સરકાર આઘીપાછી થઈ રહી છે તો બીજીબાજુ
પોતાના સ્વાર્થ માટે મત મેળવવા ચૂંટણી સભાને મંજૂરી આપી દીધી છે.
દેશમાં
અનલૉક-5 અંગે 30 જૂને જારી કરાયેલી ગાઈડલાઈનમાં
કેન્દ્રે ગુરુવારે બિહાર વિધાનસભા ચૂંટણી અને 11 અન્ય
રાજ્યોમાં પેટાચૂંટણીને ધ્યાનમાં રાખી ફેરફાર કર્યા છે. ગૃહમંત્રાલયે આ રાજ્યોમાં
તાત્કાલિક અસરથી રાજકીય રેલીઓ કરવાની મંજૂરી આપી દીધી છે. એટલે કે ચૂંટણી અને
પેટાચૂંટણીવાળાં રાજ્યોમાં નેતાઓ ખુલ્લાં મેદાનોમાં ગમે તેટલી ભીડ એકઠી કરી શકશે.
અત્યાર સુધી ભીડ એકઠી કરવા પર 15 ઓક્ટોબર સુધી રોક હતી.
ગૃહમંત્રાલેય
મોડી રાત્રે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું છે કે આ દરમિયાન કોવિડ-19ના નિયમોનું પાલન કરવાનું રહેશે. ખુલ્લા મેદાનમાં જ્યારે
સભા કરવામાં આવે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને લોકોને ભેગા કરી શકાશે.
આ ઉપરાંત કાર્યક્રમ યોજનારે આખા કાર્યક્રમની વીડિયોગ્રાફી પણ કરવાની રહેશે અને 48 કલાકમાં તે જિલ્લા વહીવટી તંત્રને સુપરત કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે બિહાર તથા વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણી હોવાથી પ્રચારનું કાર્ય હવે
પૂરજોશમાં શરૂ થવામાં છે.
કઈ શરતો પાળવાની રહેશે
·
બંધ રૂમમાં
હોલની ક્ષમતાના 50 ટકા લોકો જ રહી શકશે. આ સંખ્યા 200થી વધુ ન હોવી જોઇએ.
·
બધાએ
ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે અને બે હાથનું શારીરિક અંતર જાળવવું પડશે. બધાનું
થર્મલ સ્ક્રીનિંગ કરાશે. હેન્ડવૉશ અને સેનિટાઈઝર
·
ફરજિયાત છે.
·
ખુલ્લા
મેદાનના આકાર મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને લોકોને એકઠા કરી શકાશે.
·
આયોજકોએ
કાર્યક્રમની ફરજિયાત વીડિયોગ્રાફી કરવાની રહેશે, જેનું
રેકોર્ડિંગ 48 કલાકમાં જિલ્લા તંત્રને સોંપાવાનું રહેશે.
·
આ રાજ્યોમાં
પેટાચૂંટણી : તેલંગાણા, મ.પ્ર., ઉ.પ્ર., ગુજરાત, કર્ણાટક, હરિયાણા, ઝારખંડ, છત્તીસગઢ, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા.