• Home
  • News
  • ક્રિકેટના સૌથી મોટા જ્યોતિષીએ કરી હતી રોહિત-રાહુલના ફ્લોપ શોની ભવિષ્યવાણી
post

પાકિસ્તાન (Pakistan) સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા (Team India)ના બંને ઓપનર સસ્તામાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-26 10:24:26

નવી દિલ્હી: ICC ટી 20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આનું સૌથી મોટું કારણ ભારતીય ઓપનરોની ફ્લોપ શો છે, જો તેઓએ જોરદાર શરૂઆત અપાવી હોત તો કદાચ આજે પરિણામ અલગ હોત.

રોહિત-રાહુલનો ફ્લોપ શો
પાકિસ્તાન (Pakistan) સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના બંને ઓપનર સસ્તામાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા. રોહિત શર્મા (Rohit Sharma)ગોલ્ડન ડકનો શિકાર બન્યો, જ્યારે કેએલ રાહુલ  શાહીન શાહ આફ્રિદીના મેજિક સ્પેલ સમજવામાં નિષ્ફળ રહ્યો અને 3 રનના સ્કોર પર ક્લિન બોલ્ડ થયો હતો.

જોફ્રા આર્ચરનું જૂનું ટ્વિટ વાયરલ થયું
ભારતીય ઓપનરોની આ નિષ્ફળતા બાદ ઈંગ્લેન્ડના ક્રિકેટર જોફ્રા આર્ચરનું લગભગ 6 વર્ષ જૂનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે રોહિત શર્મા અને કેએલ રાહુલને વહેલા આઉટ થવાની વાત કહેવામાં આવી હતી.

ક્રિકેટ ચાહકોને નહોતો થતો વિશ્વાસ
જોફ્રા આર્ચરે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, 'કમ મેન આઉટ રોહિત અને રાહુલ.' ઇંગ્લિશ ક્રિકેટરનું આ નિવેદન ક્રિકેટ ચાહકોએ વાયરલ કર્યું હતું. લોકો તેને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ સાથે જોડીને જોવા લાગ્યા.