અંડર-19 ટીમના કેપ્ટન રહી ચૂકેલા ઉન્મુક્ત ચંદે ભારતીય ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી છે. તે અમેરિકા જવાની તૈયારીમાં છે. તેની કેપ્ટનશીપમાં ભારતે 2012માં અંડર-19 વર્લ્ડકપ જીત્યો હતો.
નવી દિલ્હી: હાલના દિવસોમાં અનેક
દેશોના ક્રિકેટર્સે અમેરિકા તરફથી રમવા માટે નિવૃતિ લીધી છે. આ કડીમાં શ્રીલંકા, પાકિસ્તાનના અનેક
ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ક્રિકેટરનો સમાવેશ થાય છે. હવે ભારતના એક મોટા ક્રિકેટરે
નિવૃતિ લઈને અમેરિકા તરફથી ક્રિકેટ રમવાનો નિર્ણય કર્યો છે. આ ક્રિકેટરનું નામ
ઉન્મુક્ત ચંદ છે. તેણે નિવૃતિની જાહેરાત કરી છે અને હવે તે અમેરિકા જવાની
તૈયારીમાં છે. ઉન્મુક્ત ચંદ ભારતીય અંડર-19 ટીમનો કેપ્ટન રહ્યો છે. તેની
કેપ્ટનશીપમાં 2012માં ભારતે અંડર-19નો વર્લ્ડકપ જીત્યો હતો.
ચંદે અંડર-19
ફાઈનલ
મેચમાં અણનમ 111
રનની
ઈનિંગ્સ રમી હતી. તેણે ભારત-Aના કેપ્ટનના રૂપમાં પણ કમાન સંભાળી અને 2015 સુધી તે પદ સંભાળ્યું.
કેવી રહી કારકિર્દી:
28 વર્ષીય
ઉન્મુક્તે ડોમેસ્ટિક ક્રિકેટમાં અને ભારત A માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 2013ની આઈસીસી ચેમ્પિયન્સ
ટ્રોફી માટે 30
સભ્યોની
ટીમમાં જગ્યા મળી હતી. તે 2014
ટી-20 વર્લ્ડકપ માટે 30 સભ્યોની ટીમમાં પસંદ
કરાયો હતો. પોતાની ડોમેસ્ટિક કારકિર્દીની શરૂઆત 2010માં દિલ્લીથી કરી હતી
અને 8 સિઝન સુધી ટીમ માટે
રહ્યો. તે દિલ્લીની ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. ઉન્મુક્ત ઉત્તરાખંડ માટે
ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી ચૂક્યો છે.
ઉન્મુક્તે ટ્વીટ કરીને
કરી જાહેરાત:
ઉન્મુક્ત
ચંદે ટ્વીટ કરીને પોતાની નિવૃતિની જાહેરાત કરતાં લખ્યું કે ક્રિકેટ એક યુનિવર્સલ
રમત છે અને બની શકે કે અર્થ બદલાઈ જાય. પરંતુ ઉદ્દેશ્ય હંમેશા એક જ રહે છે અને તે
છે - સર્વોચ્ય સ્તર પર રમવું. સાથે જ મારા તમામ સમર્થકો અને ચાહનારાનો આભાર. જેમણે
હંમેશા મને દિલમાં જગ્યા આપી. તમે જેવા છો તેનાથી લોકો પ્રેમ કરે. તેનાથી શાનદાર
કોઈ ભાવના ન હોય. હું પોતાને ભાગ્યશાળી માનું છું કે મારી પાસે એવા લોકો છે. બધાનો
આભાર. આગામી અધ્યાય તરફ આગળ વધીએ.
ક્યાંનો રહેવાસી છે ઉન્મુક્ત ચંદ:
ઉન્મુક્ત
ચંદ ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાના ખુદકુ ભાલ્યાનો રહેવાસી છે. ઉન્મુક્તે 6 વર્ષની ઉંમરથી ક્રિકેટ
રમવાનું શરૂ કર્યું હતું. તેની ક્રિકેટ કારકિર્દીમાં સૌથી મહત્વનો રોલ તેના કાકા
સુંદર ચંદ ઠાકુરનો છે. ઉન્મુક્ત ચંદે ડીપીએસ અને મોડર્ન સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ
પૂરો કર્યો. અંડર-16,અંડર-16 અને અંડર-19 ક્રિકેટમાં તેણે
દિલ્લીનું પ્રતિનિધિત્વ કર્યું.
કેવી રહી ઉન્મુક્તની
કારકિર્દી:
ઉન્મુક્તે
67 ફર્સ્ટ ક્લાસ મેચમાં 31.57ની એવરેજથી 3379 રન બનાવ્યા. જેમાં તેણે
આઠ સદી અને 16
ફિફ્ટી
ફટકારી. 120
લિસ્ટ
એ મેચમાં 41.33ની એવરેજથી 4505 રન બનાવ્યા. આ
ફોર્મેટમાં સાત સદી અને 32
અર્ધસદીનો
સમાવેશ થાય છે. આઈપીએલમાં તેણે 21 મેચમાં 300 રન ફટકાર્યા છે.