મંત્રાલયે 29 માર્ચે કહ્યું હતું કે લોકડાઉનમાં કર્મચારીઓની સેલેરી ન કાપી શકાય
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે
ખાનગી કંપનીઓની અરજીઓ પર ચુકાદો આપ્યો છે. જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે અમે ગત
વખતે આદેશ આપ્યો હતો કે કંપનીઓની વિરુદ્ધ કોઈ સખ્ત કાર્યવાહી ન કરવામાં આવે. આ
આદેશ ચાલુ રહેશે. રાજ્ય સરકારોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે
મધ્યસ્થી કરશે.
26 મેની સુનાવણીમાં સુપ્રીમ
કોર્ટે સરકારને કહ્યું હતું કે એક સપ્તાહમાં સોગાંદનામુ કરીને જવાબ આપવામાં આવે.
સરકારે 4
જૂને
કહ્યું હતું કે જે કંપનીઓ સેલેરી આપવામાં મુશ્કેલી થઈ રહી હોવાની વાત કરી રહી છે
તેમને પોતાની ઓડિટેડ બેલેન્સ
શીટ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપવો જોઈએ.
કોર્ટે કહ્યું- સરકાર મધ્યસ્થી
બની શકે છે
જસ્ટિસ
અશોક ભૂષણ,
જસ્ટિસ
સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમ આર શાહની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. બેન્ચે 4 જૂને ચૂકાદો અનામત
રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કર્મચારીઓને સેલેરી આપ્યા વગર છુટા ન કરવા
જોઈએ. કંપનીઓની પાસે પૈસા ન હોય તો સરકાર મધ્યસ્થી બની શકે છે. કોર્ટે એ વાત પણ
કહી હતી કે સેલેરીનું 50
ટકા
પેમેન્ટ પણ આપી શકાય.