• Home
  • News
  • પત્ની પતિના ગળે દુપટ્ટો બાંધી એક કલાક સુધી પકડીને બેસી રહી, દીકરીએ રૂમાલ મૂકી પિતાનું મોઢું દબાવ્યું
post

20 વર્ષના લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો છે, બેકાર પતિ કિશોરથી કંટાળીને પત્નીએ હત્યા કરી હોવાનું કબૂલાત કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-28 19:28:30

અમદાવાદ: કહે છે કે શંકા અને વહેમ પરિવારને વેરવિખેર કરી નાખે છે, ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પતિની શંકાના કારણે પત્નીને રોજ માર ખાવો પડતો હતો. રોજેરોજના ત્રાસના કારણે પત્નીએ પોતાની દીકરી સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી. આ સમગ્ર મામલો કુદરતી મોત લાગે તે માટેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોસ્ટમોર્ટમના અંતે સમગ્ર બાબતનો પર્દાફાસ થઈ ગયો છે.

દારૂડિયાથી કંટાળીને પત્નીએ ષડયંત્ર રચ્યું
મારના ડરથી પત્નીએ દીકરી સાથે મળીને પતિની ઠંડા કલેજે હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ પૂરાવાનો નાશ કરવામાં આવ્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમના અંતે સમગ્ર બાબતનો ઘટસ્ફોટ થયો હતો આ બનાવમાં. હત્યા કરાઈ હોવાની હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો . જેને લઈ સરદારનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી માતા અને દીકરીની ધરપકડ કરી છે. દારૂડિયા અને શંકાશીલ પતિથી કંટાળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.

રવિવારે માર માર્યો એટલે મોતને ઘાટ ઉતર્યો
પોલીસે પકડેલી હત્યારી પત્ની ગીતાબેન જાદવ અને દીકરી ભાવના જાદવે ભેગા મળી પતિની હત્યા કરી હતી. હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવા પત્નીએ અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે ઘટનાની વિગત એવી છે કે મૃતક પતિ કિશોર જાદવ દરરોજ પત્ની અને બે દીકરીઓને ઢોર માર મારતો હતો. રવિવારના રોજ પણ પતિ કિશોરે પત્નીને માર મારી અને દીકરીને વાળ પકડીને માર માર્યો હતો. જેથી ઉશેકરાયેલી માતા-દીકરીએ મૃતક કિશોરની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું.

ઊંઘતો હતો અને પત્નીએ દુપટ્ટાથી ગળું દબાવી દીધું
મૃતક કિશોર જ્યારે સુઈ રહ્યો હતો, ત્યારે પત્ની ગીતાબેન દુપટ્ટાથી કિશોરનું ગળું દબાવ્યું હતું. જ્યારે દીકરીએ પિતાના ચહેરા પર રૂમાલ મૂકી મોઢું દબાવી રાખ્યું હતું. જે બાદ હત્યારી ગીતાબેન ભત્રીજા પરાગ જાદવને ફોન કરીને કહ્યું કે, કિશોર ઉઠી રહ્યા નથી. જ્યાં હોસ્પિટલમાં લઈ જતા હાજર ડોક્ટરે કિશોરને મૃત જાહેર કર્યો હતો.પરતું ભત્રીજાને શંકા જતાં અને પોસ્ટમોર્ટ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવતા સરદારનગર પોલીસે ગુનો નોંધી માતા-દીકરીની ધરપકડ કરી છે.

દીકરીઓ સોડા ફેક્ટરીમાં જતી પણ દારૂડિયો નહીં
20
વર્ષના લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો છે, બેકાર પતિ કિશોરથી કંટાળીને પત્નીએ હત્યા કરી હોવાનું કબૂલાત કરી છે. પતિ કિશોર અને પત્ની ગીતાના લગ્ન જીવન દરમિયાન ચાર સંતાનો છે. જેમાં બે દીકરીઓ સોડા ફેકટરીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. જ્યારે બેકાર કિશોર દારૂ પીને પત્ની અને દીકરી પર શંકા રાખી અત્યાચાર કરતો હતો. કિશોરના મારના ડરથી ગીતા અને તેની દીકરીઓ દહેશતમાં જીવતી હતી, પરંતુ ડરમાંથી બહાર આવા માટે તેને મારી નાખવાનું નક્કી કર્યું અને રવિવારના રોજ પતિની હત્યા કરી અકસ્માતનું રૂપ આપ્યું હતું.

પત્નીએ એક કલાક સુધી દુપટ્ટો પકડીને બેસી રહી
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, હત્યા દરમિયાન માતા અને દીકરી પર હત્યાનું ઝનૂનું સવાર થઈ ગયું હતું કે મોટી દીકરી હત્યા કરતા જોઈ ગઈ તો તેને મારવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, પત્ની ગીતાબેનને ડર એટલો હાવી થઈ ગયો હતો કે સેકન્ડોમાં પતિ કિશોરનું મોત થઈ ગયું હતું. છતાં પત્નીએ પતિ કિશોરનું એક કલાક સુધી દુપટ્ટો ગળે બાંધી બેસી રહી હતી કે કિશોર જીવી જશે તો તેને ફરી મારશે. ત્યારે હત્યા કેસ લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post