• Home
  • News
  • અમદાવાદમાં BRTS બસનાં બે ફાડિયાં:બેટરીથી ચાલતી BRTS બસોની એવરેજ વધારવા પાતળું પતરું ફિટ કરી દેવાયાની આશંકા
post

જેસીબી-ક્રેનની મદદ લીધી ત્યારે દીવાલમાંથી બસ બહાર નીકળી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-10 09:30:45

અખબારનગર અંડરબ્રિજમાં બીઆરટીએસ બસનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરની બેદરકારીથી બસ અંડરબ્રિજની ઉપરના બ્રિજના પિલરની દીવાલ સાથે અથડાઈ હતી. જોકે દીવાલ સાથે બસ અથડાતાંની સાથે જ બસ ડ્રાઇવરની કેબિનની વચ્ચેથી 7 ફૂટ ચિરાઈને દીવાલમાં ઘૂસી ગઈ હતી, જેમાં ડ્રાઇવર રમેશ મકવાણા અને સુપરવાઈઝર ચરણ ગેહલોત ઈજાગ્રસ્ત થયા હતા. સદનસીબે બસમાં એકપણ પેસેન્જર ન હતા. આ બસ બહાર કાઢવા માટે ક્રેન અને જેસીબી મશીનની મદદ લેવી પડી હતી. પોલીસનું કહેવું છે કે બસની એવરેજ વધારવા બોડીનું પતરું પાતળું કરી દેવાયું છે જેને કારણે બસ ચિરાઈને દીવાલમાં ઘૂસી ગઈ હતી.

ડ્રાઇવરની બેદરકારીથી જ અકસ્માત સર્જાયો
બી-ડિવિઝનના ઈન્ચાર્જ પીઆઈ ટ્રાફિક-પોલીસ સ્ટેશન એફ.એમ. નાયાબના જણાવ્યા અનુસાર, ડ્રાઇવર અને સુપરવાઈઝર બંનેને શરીરે સામાન્ય ફ્રેકચર થયાં છે, જેની સારવાર ચાલી રહી છે. જોકે આ અકસ્માત વિશે બંનેને પૂછતાં બસમાં કોઇપણ પ્રકારની ટેક્નિકલ ખામી સર્જાઈ ન હતી. ફક્ત ડ્રાઇવર રમેશ મકવાણાની બેદરકારીને કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

AMTS બસો હોત તો આટલું નુકસાન ન થાત
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે એસટીની બસ કે જૂની એએમટીએસની બસનો અકસ્માત થયો હોત તો આટલું બધું નુકસાન થયું ન હોત. એ બસોમાં પતરું બહુ જ મજબૂત વાપરવામાં આવે છે. બીઆરટીએસની બેટરીથી ચાલતી આ બસોની એવરેજ વધારે મળે એ માટે બસનું વજન ઘટાડી દેવાયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post