કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો, 480 નવા કેસ
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા નોંધાયેલા કેસની ગતિ છેલ્લાં ત્રણ દિવસ કરતાં થોડી ધીમી પડી છે અને લગભગ વીસેક ઓછા કેસ નોંધાયા છે. થોડો હાંશકારો બતાવે તેવો આ આંક રવિવારે 480નો રહ્યો અને આ સાથે રાજ્યમાં કુલ પોઝિટીવ દર્દીઓનો આંક 20,097 પર પહોંચ્યો છે. હવે અમદાવાદમાં કોરોનાથી મોતનો આંકડો 1000 થઇ ગયો છે. સારી વાત એ છે કે સાજા થનારાની સંખ્યા પણ 10,000ની નજીક છે. આ 1000 પણ છે અને 10,000 પણ. આ દર્દ પણ છે અને હિંમત પણ. આ દુખની ઘડી પણ છે અને જુસ્સાની ક્ષણ પણ.
ગુજરાતમાં કુલ મૃતકાંક 1,249
પર પહોંચ્યો
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં
કુલ 30 લોકોના મૃત્યુ થયાં છે અને આ સાથે કુલ
મૃતકાંક 1,249 પર પહોંચ્યો છે. રવિવારે અમદાવાદમાં
21, સૂરતમાં 2 તથા
બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, કચ્છ
અને રાજકોટમાં એક-એક દર્દીઓના મોત નોંધાયા છે. ગુજરાતમાં મૃત્યુદર ભારતમાં સૌથી
વધુ 6.21 ટકા છે. હાલ ગુજરાતમાં 67 દર્દીઓની
હાલત ગંભીર છે. આ તરફ રાજ્યમાંથી કુલ 310 દર્દીઓને
રવિવારે ડિસ્ચાર્જ અપાયો હતો અને આ સાથે કુલ 13,643 દર્દીઓ
સાજા થઇને ઘરે ગયાં છે.હાલ ગુજરાતમાં સાજા થનારા દર્દીઓનું પ્રમાણ 70 ટકા
નજીક છે.