• Home
  • News
  • દિવસમાં બે વાર પાણીમાં સમાઈ જાય છે ગુજરાતનું આ મંદિર, દરિયા કાંઠે બેસીને ભક્તો જુએ છે આ નજારો
post

ભગવાન શિવનું એક એવુ મંદિર પણ છે, જેના ચરણોને રોજ સમુદ્ર દિવસમાં બે વાર સ્પર્શ કરે છે. આ મંદિર રોજ સમુદ્રના જળમાં સમાઈ જાય છે અને પછી થોડા કલાકો બાદ ફરી જોવા મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-18 10:06:53

પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આવામાં શિવમંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે. ભગવાન શિવની આરાધના કરવા માટે આ મહિનો ખાસ કહેવાય છે. આવામાં શ્રાવણ મહિના (shravan 2021) ના પાવન અવસરે ગુજરાતના એક એવા શિવ મંદિર (Shiva Temple) વિશે જાણીએ, જે દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે. મંદિરના આ રીતે ડૂબી જવાના અને બાદમાં થોડા કલાક બાદ ફરીથી પ્રકટ થવાની ઘટનાને જોઈને લોકો અભિભૂત થઈ જાય છે. આ મંદિર ગુજરાતના વડોદરા શહેરની પાસે કાવી-કંબોઈ નામના ગામમાં આવેલું છે. 

જળસ્તર ઘટવાથી થાય છે શિવના દર્શન
આ પ્રાચીન મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓને ભગવાન શિવ (shiv temple) ના દર્શન કરવા માટે સમુદ્રના જળસ્તર ઘટવાની રાહ જોવી પડે છે. સમુદ્રમાં આવનાર ભરતી અને ઓટને કારણે દિવસમાં બે વાર આ મંદિર જળમાં સમાઈ જાય છે. થોડા કલાકો બાદ પાણી ઉતરતા શિવલિંગ ફરીથી નજર આવવા લાગે છે. આ મંદિર અરબ સાગરની વચ્ચે કેમ્બે તટ પર બનાવાયેલુ છે. 

ભગવાન શિવના પુત્રએ બનાવ્યું હતું મંદિર
સ્તંભેશ્વર મહાદેવ મંદિરના નામથી વિખ્યાત આ તીર્થધામ વિશે શ્રી મહાશિવપુરાણના રુદ્ર સંહિતામાં ઉલ્લેખ કરાયો છે. પુરાણોમાં ઉલ્લેખ કરાયા મુજબ આ મંદિર ભગવાન શિવના દીકરા કાર્તિકેયે બનાવ્યું હતું. શિવભક્ત તાડકાસુરનું વધ કર્યા બાદ કાર્તિકેય બહુ જ બેચેન હતા. ત્યારે તેમણે પોતાના પિતાના કહેવા પર તાડકાસુરના વધ સ્થળ પર આ મંદિર બનાવ્યુ હતું. આ મંદિરનું શિવલિંગ લગભગ 4 ફૂટ ઉંચુ અને 2 ફૂટ પહોળુ છે. મંદિરની ચમત્કારિક ઘટના ઉપરાંત લોકો અહી અરબ સાગરનો સુંદર નજારો (gujarat tourism) જોવા પણ આવે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post