• Home
  • News
  • રાજકોટમાં કાળમુખી ટ્રકે પરિવાર ઉજાડ્યો:માધાપર ચોકડી પાસે બાઇકસવાર બે સગાભાઈને ઉલાળતાં બન્નેનાં મોત, બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
post

પિતા નીતિનભાઇ ફર્નિચરનું મિસ્ત્રી કામ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-08 19:21:12

રાજકોટની માધાપર ચોકડી નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતા ટ્રકે બાઇકને અડફેટે લીધું હતું. જેને પગલે બાઈક પર સવાર બે ભાઈ ફૂટબોલની માફક ફંગોળાયા હતા. જેમાં એક ભાઈનું તો ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બીજાએ સારવાર દરમિયાન જીવ ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. બંને ભાઈનાં અકાળે મોતથી 8 માસ અને અઢી વર્ષની પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ પોલીસે બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રકે બંને ભાઇ​​​​​ને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા
પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે 11 વાગ્યા આસપાસ 150 ફૂટ રિંગ પર અયોધ્યાચોકથી આગળ માધાપર ચોકડી નજીક પૂરપાટ ઝડપે બેદરકારીપૂર્વક આવી રહેલા ટ્રકે બાઈક સવાર જીતેન્દ્ર ઉર્ફે જીત નીતિનભાઇ નારીગરા અને તેના મોટાભાઇ ભાવેશભાઇ નીતિનભાઇ નારીગરાને અડફેટે લેતા બંને ભાઇઓ બાઇક સહિત ફૂટબોલની જેમ ફંગોળાઇ ગયા હતા. જેમાં જીતને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.

ભાવેશે સારવાર દરમિયાન દમ તોડ્યો
જો કે, ભાવેશને ગંભીર ઈજા થઈ હતી. પરંતુ તેના હૃદયના ધબકારા ચાલુ હોય તેને બેભાન હાલતમાં તાત્કાલિક 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન બનાવની જાણ થતા પરિવારજનો દોડી આવ્યા હતા. ભાવેશને પ્રથમ તો ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તબીબોએ તેની હાલત ગંભીર જોઇ તુરંત જ આઇસીયુમાં એડમીટ કરી દીધો હતો. જો કે, સારવાર દરમિયાન ભાવેશે પણ દમ તોડતા પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો. બનાવના પગલે પોલીસ દોડી ગઈ હતી અને બંને ભાઇઓના મૃતદેહને જરૂરી કાગળ કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.

પિતા નીતિનભાઇ ફર્નિચરનું મિસ્ત્રી કામ કરે છે
પરિવારજનોના જણાવ્યા મુજબ, બંને કોઠારિયા રોડ પર રણુજા મંદિરની પાછળ પરિવાર સાથે રહેતા હતા. જીત અને ભાવેશ તેમજ તેમના પિતા નીતિનભાઇ ત્રણેય ફર્નિચરનું મિસ્ત્રી કામ કરે છે. આજે સવારે ભાવેશ અને જીત બંને બાઈક પર માધાપર ચોકડી પાસે નવી બની રહેલી બિલ્ડિંગમાં ફર્નિચર કરવા માટે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે અયોધ્યા ચોકથી માધાપર ચોકડી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જીતના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેને સંતાનમાં કઈ નથી. જ્યારે ભાવેશના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. હાલ તેને બે દીકરીઓ છે, જેમાં એક દીકરીની ઉંમર અઢી વર્ષ અને બીજી દીકરીની ઉંમર માત્ર આઠ મહિના જ છે.

adv

Related News

post
post
post
post
post
post
post