• Home
  • News
  • અત્યારે જો લોકસભાની ચૂંટણી થાય તો PM મોદી અને BJPનું શું થાય?, સર્વેમાં સામે આવી ‘મન કી બાત’
post

અત્યારે ચૂંટણી થાય તો કઇ પાર્ટીને કેટલી સીટો મળશે?

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-22 10:24:20

કોરોના (Corona) કાળમાં સરકારની કોશિષો અને સરહદ પર ચીન (China)ને કડક ટક્કર આપનાર પીએમ મોદી (PM Modi)નો જલવો હજુ પણ યથાવત છે. ઇન્ડિયા ટુડે-કાર્વી ઇનસાઇટ્સના મૂડ ઓફ ધ નેશન (MOTN) પોલ પરથી ખબર પડી રહી છે. આ સર્વે પ્રમાણે જો અત્યારે લોકસભા ચૂંટણી (Loksabha Election) થાય છે તો ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર 2019ની ચૂંટણીની જેમ જ બહુમતી મળી જશે. એટલે કે NDA ફરીથી સરળતાથી સત્તાની બાગડોર પોતાના હાથમાં લઇ લેશે. આ સર્વેને જાન્યુઆરીથી 13 જાન્યુઆરી 2021ની વચ્ચે 12232 લોકોની વચ્ચે કરાયો. તેમાં 67 ટકા ગ્રામીણ વસતી અને 33 ટકા શહેરી વસતી સામેલ છે.

અત્યારે ચૂંટણી થાય તો કઇ પાર્ટીને કેટલી સીટો મળશે?

અત્યારે લોકોસભા ચૂંટણી થવાની સૂરતમાં 543 લોકસભા સીટોમાંથી પીએમ મોદીના નેતૃત્વવાળા NDAને 43 ટકા વોટની સાથે 321 સીટો મળી શકે છે. તો માત્ર ભાજપને જ 37 ટકા વોટની સાથે 291 સીટો મળવાની સંભાવના છે. UPAને 27 ટકા વોટની સાથે 93 સીટો મળી શકે છે. જ્યારે માત્ર કોંગ્રેસને અંદાજે 19 ટકા વોટોની સાથે માત્ર 51 સીટો પર જ સંતોષ માનવો પડી શકે છે. તો અન્ય દળોને 30 ટકા વોટોની સાથે 129 વોટો મળી શકે છે.

યોગી આદિત્યનાથ શ્રેષ્ઠ CM

આ સર્વેમાં લોકોને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે તેમના પ્રિય મુખ્યમંત્રી કોણ છે. દેશના સૌથી વધુ 25 ટકા લોકોએ યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને તેમના પ્રિય સીએમ તરીકે ઓળખાવ્યા. લોકોએ સ્વીકાર્યું છે કે તે સારું કામ કરે છે. બીજા સ્થાને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ છેજેમને 14 ટકા લોકોએ શ્રેષ્ઠ સીએમ માન્યા છે. આ યાદીમાં ત્રીજા સ્થાને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છેજેમને ટકા લોકો પસંદ કરે છે.

શ્રેષ્ઠ વડાપ્રધાન કોણ?
હાલના સર્વે મુજબ પીએમ મોદીને આ ખિતાબ મળવાપાત્ર છે. લગભગ 38 ટકો લોકો માને છે કે પીએમ મોદી અત્યાર સુધીના શ્રેષ્ઠ વડાપ્રધાન છે. તો 18 ટકા લોકોએ અટલ બિહારીને શ્રેષ્ઠ વડાપ્રધાન માન્યા છે. લગભગ 11 ટકા લોકો માને છે કે ઈન્દિરા ગાંધી શ્રેષ્ઠ વડાપ્રધાન હતાજ્યારે જવાહરલાલ નહેરુને લગભગ 8 ટકા લોકોએ શ્રેષ્ઠ પ્રધાનમંત્રી માને છે.

શ્રેષ્ઠ મંત્રી કોણ છે?

સર્વેમાં એ પણ જાણવા મળ્યું કે PM મોદીના કયા મંત્રી લોકોને સૌથી વધુ ગમે છે. જ્યારે લોકોને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે 39 ટકા લોકોએ અમિત શાહના કામને નંબર -ગણાવી કહ્યું કે મોદી સરકારના સૌથી સારા મંત્રી માને છે. 14 ટકા લોકોને રાજનાથ સિંહ, 10 ટકા લોકોને નીતિન ગડકરી અને ટકા લોકોને નિર્મલા સીતારમણ સૌથી શ્રેષ્ઠ મંત્રી લાગ્યા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post