રોહિત શર્માના કેપ્ટન બન્યા બાદ ટીમ ઇન્ડિયામાં આ ત્રણ ખેલાડીઓની જગ્યા નક્કી છે. આવો એક નજર કરીએ આ ત્રણ ખેલાડીઓ પર જેમણે રોહિત શર્માના કેપ્ટન બન્યા બાદ ટીમ ઇન્ડિયામાંથી ડ્રોપ કરવા લગભગ અશક્ય છે.
નવી દિલ્હી: રોહિત શર્મા હવે ભારતના
ટેસ્ટ, વનડે અને ટી20 ત્રણેય ક્રિકેટ
ફોર્મેટમાં કેપ્ટન છે. રોહિત શ્માના કેપ્ટન બનતા જ ભારતના 3 ક્રિકેટર્સ એવા છે, જેમનું અચાનક ભાગ્ય ખુલી
ગયું છે. માત્ર એટલું જ નહીં આ ત્રણ ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાંથી ડ્રોપ કરવા લગભગ
અશક્ય છે. રોહિત શર્માના કેપ્ટન બન્યા બાદ ટીમ ઇન્ડિયામાં આ ત્રણ ખેલાડીઓની જગ્યા
નક્કી છે. આવો એક નજર કરીએ આ ત્રણ ખેલાડીઓ પર જેમણે રોહિત શર્માના કેપ્ટન બન્યા
બાદ ટીમ ઇન્ડિયામાંથી ડ્રોપ કરવા લગભગ અશક્ય છે.
1. સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર
યાદવે વર્ષ 2021
માં
પોતાની વનડે અને ટી20
ડેબ્યૂ
કર્યું હતું,
પરંતુ
તે હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી શક્યો નથી. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં
સૂર્યકુમાર યાદવને અવગણવામાં આવી રહ્યો હતો. સૂર્યકુમાર યાદવને ગત વર્ષે ઇંગ્લેન્ડ
પ્રવાસ પર ભારતની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને એક પણ મેચ
રમવાની તક આપવામાં આવી ન હતી. નવેમ્બર 2021 માં ઇજાગ્રસ્ત કેએલ રાહુલની
જગ્યાએ સૂર્યકુમાર યાદવને ન્યૂઝીલેન્ડ સામે બે મેચની ટેસ્ટ સીરિઝ માટે સામેલ
કરવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં સૂર્યકુમાર યાદવને પોતાની ટેસ્ટ ડેબ્યૂ મેચ
રમવાની તક મળી ન હતી. સૂર્યકુમાર યાદવ રોહિત શર્માના પ્રિય ખેલાડીઓમાંથી એક છે.
સૂર્યકુમાર યાદવ રોહિત શર્માની આગેવાની હેઠળ ટીમ મુંબઇ ઇન્ડિયન્સનો ભાગ છે. સૂર્યકુમાર
યાદવે આઇપીએલમાં પોતાના ખાતામાં ઘણા રન ઉમેર્યા છે.
2. ઈશાન કિશન
કોઈપણ
ક્રમમાં પોતાની બેટિંગથી ધમાકો કરનાર 23 વર્ષીય ઈશાન કિશન હજુ સુધી
ટેસ્ટમાં ડેબ્યૂ કરી શક્યો નથી. ઈશાન કિશને ટી20 અને વનડે ક્રિકેટમાં મહત્વની
ભૂમિકા ભજવી છે. ક્રિકેટ પંડિતોના મતે જો ઈશાન કિશનને ટેસ્ટ ક્રિકેટમાં તક આપવામાં
આવે તો તે ઘણો આગળ વધી શકે છે. જ્યારે પણ રિષભ પંતની જગ્યાએ ઈશાન કિશનને તક
આપવામાં આવી છે ત્યારે તેણે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. ઈશાન કિશને આઈપીએલ અને
ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાના ખાતામાં ઘણા રન ઉમેર્યા છે. વર્ષ 2016 માં ઈશાન કિશન અંડર-19 ટીમનો કેપ્ટન હતો જ્યારે
રિષભ પંત એ જ ટીમનો વાઇસ કેપ્ટન હતો. વિરાટે પંતને ટેસ્ટ મેચમાં રમવાની ઘણી તકો
આપી છે, જેના કારણે તેણે હવે ટીમ
ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તમને જણાવી દઈએ કે ઈશાન કિશનની
વિકેટકીપિંગ રિષભ પંતથી ઓછી નથી. જો આ ખેલાડીને ટેસ્ટ ક્રિકેટમાં તક આપવામાં આવે
તો તે પોતાની ક્ષમતાના આધારે ભારતીય ટેસ્ટ ટીમમાં શાનદાર પ્રદર્શન કરી શકે છે.
3. કુલદીપ યાદવ
કુલદીપ
યાદવ ભારતના સ્ટાર ચાઈનામેન બોલરોમાંથી એક છે. વર્ષ 2017 માં ઓસ્ટ્રેલિયા સામે
ટેસ્ટ ડેબ્યૂ રમ્યા બાદ કુલદીપ યાદવ છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી
રહ્યો હતો. ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ કુલદીપ યાદવને ક્યારેય
ટેસ્ટ ટીમમાં પાછા આવવા દીધો નથી અને સતત તેની અવગણના કરી છે. જ્યારે વિરાટ કોહલીએ
જયંત યાદવને ઘણી વખત તક આપી છે અને કુલદીપ યાદવની અવગણના કરી છે. ચાઈનામેન કુલદીપ
યાદવના બોલનો જવાબ આપવો દરેક બેટ્સમેન માટે શક્ય નથી. કુલદીપ યાદવે તેની
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં અત્યાર સુધીમાં કુલ 176 વિકેટ લીધી છે. શ્રીલંકા
સામે 4 માર્ચથી શરૂ થનારી ટેસ્ટ
સીરિઝ માટે કુલદીપ યાદવને ટીમ ઈન્ડિયામાં તક મળી છે. ભારતે મોટાભાગની ટેસ્ટ સિરીઝ
તેના હોમ ગ્રાઉન્ડ પર રમવાની છે. તેથી હવે કુલદીપ યાદવને પડતો મૂકવો લગભગ અશક્ય
છે.