તાજમહેલના પૂર્વ ગેટ પર બની રહેલું આ સંગ્રહાલય લગભગ 150 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારના આગ્રામાં બની રહેલા મુઘલ મ્યુઝિયમનું નામ બદલવાની જાહેરાત કરી છે. સીએમ યોગીએ સોમવારના કહ્યું કે આગ્રામાં નિર્માણ થઈ રહેલું મુઘલ મ્યૂઝિયમ છત્રપતિ શિવાજી મહારાજના નામે સ્થાપિત થશે. તાજમહેલના પૂર્વ ગેટ પર બની રહેલું આ સંગ્રહાલય લગભગ 150 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર રાષ્ટ્રવાદી વિચારોને પોષનારી છે.
છત્રપતિ શિવાજી
મહારાજ આપણા નાયક
સીએમ યોગીએ કહ્યું કે ગુલામીની માનસિકતાના પ્રતીક સિન્હોને છોડીને રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ કરાવનારા વિષયોને પ્રોત્સાહન આપવાની આવશ્યકતા છે. આપણા નાયક મુઘલ ના હોઈ શકે. સીએમ યોગીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ આપણા નાયક છે. સીએમ યોગીએ યૂપી સરકારના પર્યટન વિભાગને આ સંબંધમાં કાર્યવાહી કરવાની આદેશ આપ્યા છે. પ્રમુખ સચિવ પર્યટન જિતેન્દ્ર કુમારને આ સંબંધમાં કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. પર્યટન વિભાગના અધિકારીઓ અનુસાર, આગરામાં બનનારા આ સંગ્રહાલયમાં મુઘલકાલીન વસ્તુઓ અને દસ્તાવેજો પ્રદર્શિત કરવામાં આવશે.
યોગીએ આપ્યા મહત્વના આદેશ
આ ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજથી
જોડાયેલી ચીજો પણ આ સંગ્રહાલયમાં ભાગ હશે. યૂપી સરકારે આ મ્યૂઝિયમ દ્વારા છત્રપતિ
શિવાજી મહારાજના વૈભવને દુનિયામાં ફેલાવવાનો ઉદ્દેશ બનાવ્યો છે. સરકારે પર્યટન
વિભાગના અધિકારીઓના માધ્યમથી મ્યૂઝિયમ મરાઠા સામ્રાજ્યના સમયની તમામ ચીજોનું
પ્રદર્શન કરવાની વ્યવસ્થતા કરવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત પર્યટકો માટે અહીં
વિશેષ સુવિધાઓની વ્યવસ્થા કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.