પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં આઈટી ભરનારને સહાય મળતી નથી
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં રાજ્યમાં 1.82 લાખ જેટલા ખેડૂતો આવકવેરો ભરતા હોવા છતાં ખોટી રીતે 186 કરોડ રૂપિયાની સહાય લઈ ગયાની જાણકારી મળી છે. ફેબ્રુઆરી 2019માં કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક યોજના નામે ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ’ જાહેર કરી હતી. આ યોજના અંતર્ગત બે હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને પ્રતિ વર્ષ રૂ. 6 હજાર ત્રણ સમાન હપ્તામાં સહાય ‘ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર’ માધ્યમથી ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો. જે દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લાગુ પડી હતી અને નક્કી થયા બાદ થોડા જ સમયમાં લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાની ચાર માસિક સહાય ચૂકવવાની શરૂઆત પણ થઈ ગઈ હતી.
1.82 લાખથી વધુ ખેડૂતો લાભ
લેતા હતા
જોકે આ પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં કેટલીક શરતો પણ લાગુ કરાઈ હતી અને આ શરતોમાં સામેલ હોય તેમને સહાય મળનાર ન હતી. આમાંની જ એક મહત્ત્વની શરત હતી ‘છેલ્લા આકારણી વર્ષમાં આવકવેરો ચૂકવેલ હોય તેવા કરદાતા’ આ સહાય મેળવવાપાત્ર ન હતા. આમ છતાં આવકવેરો ભરેલો હોય તેવા પણ મોટી સંખ્યામાં ખેડૂતો સરકારી સહાય લઈ રહ્યા છે, જેનો એક-બે મહિના અગાઉ ‘ભાંડો’ ફૂટ્યો હતો. મળતી માહિતી મુજબ રાજ્યના તમામ 33 જિલ્લામાં અંદાજે 1.82 લાખ જેટલા ખેડૂતો આવકવેરો ભરતા હોવા છતાં પીએમ કિસાન સમ્માન નિધિની સહાય લઈ રહ્યા હતા. આ ખેડૂતોને રાજ્યમાં કુલ 186 કરોડ જેટલી મોટી રકમ સરકારી તિજોરીમાંથી મળી છે.
સરકારે
રિફંડ લેવાની પ્રકિયા શરૂ કરી
કિસાન સમ્માન નિધિનું પોર્ટલ તથા આવકવેરા કરદાતાનું પોર્ટલ (ટેક્ષ ભરનારાની યાદી) જોતા આ ભાંડો ફૂટ્યો હતો. આમ તો દરેક જિલ્લામાંથી આવા ખેડૂતો ગેરપાત્રતા ધરાવત હોવા છતાં સહાય લઈ ગયા હતા પરંતુ જે જિલ્લામાં સંખ્યા વધુ છે તેમાં ભાવનગરમાં 18 હજારથી વધુ, અમરેલીમાં 17 હજારથી વધુ, મહેસાણામાં 14 હજારથી વધુ, રાજકોટમાં 13 હજારથી વધુ ખેડૂતોને સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે, આજદિન સુધીમાં રાજ્યમાં 5થી 6 જેટલા 2 હજાર રૂપિયાના હપ્તા ચૂકવાઈ ગયાની માહિતી છે. આવા સહાય લીધેલ ‘ગેરપાત્રતા ધરાવતા ખેડૂતો’ને સરકારે એસએમએસ (SMS) કરી દીધા છે તથા ચૂકવેલ રકમ ‘રીફંડ’ લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.
જિલ્લાવાર
ખોટી સહાય મેળવનારા ખેડૂતો
અમરેલી 17166
આણંદ 5100
અરાવલી 3765
બનાસકાંઠા 7780
ભરૂચ 4674
ભાવનગર 18020
બોટાદ 5796
છોટાઉદેપુર 941
ડાંગ 52
દેવભૂમિ
દ્વારકા 1866
દાહોદ 1129
ગાંધીનગર 7884
ગીર-સોમનાથ 2533
જામનગર 6514
જૂનાગઢ 5300
કચ્છ 9767
ખેડા 3984
મહેસાણા 14741
મહીસાગર 1641
મોરબી 5010
નર્મદા 758
નવસારી 1965
પંચમહાલ 1351
પાટણ 7115
પોરબંદર 1245
રાજકોટ 13766
સાબરકાંઠા 6655
સુરત 4017
સુરેન્દ્રનગર 5377
વડોદરા 6263
વલસાડ 2306
બાંયેધરી
અપાઈ હતી છતાં…
આ
યોજનામાં લાભાર્થી ખેડૂતોએ કેટલીક બાંયેેધરી આપી હતી. જેમાં એક ‘છેલ્લા આકારણી વર્ષમાં
ઇન્કમટેક્સ ચૂકવેલ કરદાતા’
હોવાની
સ્થિતિમાં ગેરપાત્રતા ધરાવતા હશે એમ સ્વીકાર્યું હતું. ખોટી રીતે લાભ લીધો હોવાનું
માલુમ પડશે તો સરકાર તરફથી મેળવેલ ‘લાભની વસૂલાત’ અને અન્ય કાયદાકીય કાર્યવાહી સહિતની કોઈપણ કાર્યવાહી
માટે ‘હું જવાબદાર રહીશ’ એ અંગેની બાંહેધરી આપી
હતી.