• Home
  • News
  • અગ્નિપથ હિંસામાં 1000 કરોડની રેલવે સંપત્તિનો નાશ:12 લાખ લોકોની યાત્રા કેન્સલ થઈ, 1.5 લાખ મુસાફરો ફસાયા; રૂ. 70 કરોડ રિફંડ કરવા પડ્યા
post

ચાર દિવસમાં દેશભરમાં 922 મેલ એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-21 11:25:25

નવી દિલ્લી: છેલ્લા ચાર દિવસથી અગ્નિપથ યોજનાને લઈને દેશના ઘણા ભાગોમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. આમાં ટ્રેનોને સૌથી વધુ નિશાન બનાવવામાં આવી હતી. જેના કારણે રેલવેની મિલકત અને મુસાફરોના રિફંડ સહિત એક હજાર કરોડથી વધુનું નુકસાન થવાની શક્યતા છે. એટલું જ નહીં 12 લાખ લોકોએ યાત્રા કેન્સલ કરવી પડી હતી. 922 મેલ એક્સપ્રેસ ટ્રેનો રદ થઈ છે. 120 મેલ ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે.

દોઢ લાખ મુસાફરોને અધવચ્ચે જ ટ્રેન છોડવી પડી હતી. 5 લાખથી વધુ PNR રદ કરવામાં આવ્યા હતા. મુસાફરોને લગભગ 70 કરોડ રૂપિયા રિફંડ આપવામાં આવ્યા હતા. ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વે ઝોનમાં 241 કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે. આંદોલનકારીઓ દ્વારા આડેધડ રીતે જે જાહેર સંપત્તિને નિશાન બનાવવામાં આવી રહી છે, તેમાં કરદાતાઓની કરોડોની મહેનતની કમાણી છે.

રેલ્વેને કેવી રીતે નુકશાન થયું?
ચાર દિવસમાં દેશભરમાં 922 મેલ એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. જો એક PNR પર 3 મુસાફરોને ગણવામાં આવે તો કુલ 5 લાખથી વધુ PNR રદ કરવામાં આવ્યા છે, દરેક ટ્રેનમાં સરેરાશ 1200 થી 1500 મુસાફરો હોય છે, જેના કારણે લગભગ 12 લાખ લોકોની મુસાફરી રદ કરવામાં આવી હતી.

એક ઉદાહરણ આપતા રેલ્વે મંત્રાલયે કહ્યું કે જો એક મુસાફરનું ભાડું ઓછામાં ઓછું 600 રૂપિયા માનવામાં આવે તો કુલ 70 કરોડ રૂપિયાનું રિફંડ કરાયું છે. જો તમે આમાં AC 3, સેકન્ડ AC અને ફર્સ્ટ ACનું ભાડું સામેલ કરો છો તો રિફંડ 100 કરોડ રૂપિયા થશે. 827 પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી હતી. 120 મેલ એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી હતી, જેના કારણે લગભગ 1.5 લાખ મુસાફરોને ટ્રેન અધવચ્ચે છોડીને મુસાફરી રદ કરવાની ફરજ પડી હતી.

એક ટ્રેનની કિંમત શું હોય છે?
મેલ એક્સપ્રેસમાં 24 કોચ હોય છે. આ એન્જિનની કિંમત 12 કરોડ રૂપિયા છે. એસી કોચ 2.5 કરોડ, સ્લીપર જનરલ કોચ 2 કરોડનો હોય છે. એક ટ્રેનની કિંમત 30 કરોડ થાય છે. વિરોધમાં અલગ-અલગ જગ્યાએ 21 ટ્રેનો સળગાવી દેવામાં આવી હતી.

જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં યુપી સૌથી આગળ છે
અગ્નિપથ યોજનાનો વિરોધ 19 રાજ્યોમાં પહોંચી ગયો છે. આ દરમિયાન યુપી-બિહારમાં જાહેર સંપત્તિને સૌથી વધુ નુકસાન થયું છે. જો આપણે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના 2020 ના અહેવાલ પર નજર કરીએ તો, આવા કેસોમાં 28% નો ઘટાડો થયો હતો, પરંતુ યુપી સહિત 6 રાજ્યોમાં કેસ વધ્યા હતા. કેસની સંખ્યામાં ઉત્તર પ્રદેશ (2217) ટોચ પર છે. બીજા નંબર પર તમિલનાડુ (668) છે.

ઉદ્યોગપતિઓએ પણ કહ્યું - હિંસા અને ઉપદ્રવ ખોટું છે
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા, આરપીજી એન્ટરપ્રાઈઝના ચેરમેન હર્ષ ગોયન્કા, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને બાયોકોનના ચેરપર્સન કિરણ મઝુમદાર શૉએ અગ્નિપથ યોજનાનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું- પ્રશિક્ષિત યુવાનો માટે રોજગારીની સારી તકો છે. હિંસા અને ઉપદ્રવ કરવો તે ખોટું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post