બસ તિરુવનંતપુરમથી બેંગલુરુ જઈ રહીહતી, જ્યારે કોઈમ્બતુર-સલેમ હાઈવે પર કન્ટેનર રોંગ સાઈડથી આવતી હતી
Written By newsonline | Ahmedabad | Published: 2020-02-20 10:36:04
કોઈમ્બતુર: અહીં ગુરુવારે વહેલી સવારે એક બસ અને
કન્ટેનરના એક્સિડન્ટમાં 19
લોકોના મોત થયા છે.
ઘટના કોઈમ્બતુરથી 40
કિમી દૂર તિરુપુરના
અવિનાશ વિસ્તારમાં થઈ હતી. બસમાં 48 યાત્રીઓ હતા. 19 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. અવિનાશીના ડેપ્યૂટી
કલેક્ટરના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં 14 પુરુષ અને 5 મહિલાઓ છે.
પોલીસના જણાવ્યા
પ્રમાણે ઘટના કોઈમ્બતુર-સલેમ હાઈવે પર થઈ છે. બસ તિરુવનંતપુરમથી બેંગલુરુ જઈ રહી
હતી અને કન્ટેનર રોંગ સાઈડથી આવી રહ્યું હતું.