કોરોનાનું સંક્રમણ દેશના 23 રાજ્યોમાં પહોંચ્યું, સૌથી વધુ 89 કેસ મહારાષ્ટ્ર અને 67 કેરળમાં
Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 10:38:26
નવી દિલ્હીઃ દેશમાં
કોરાનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં 408 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે 7 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 15 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે અને 1 સંક્રમિતનું મોત થયું છે. 14 કેસ મુંબઈ અને 1 પુનામાં મળ્યો છે. હવે અહીં કુલ 89 કેસ થયા છે. 22 રાજ્યોના 75 જિલ્લામાં 31 માર્ચ સુધી લોકડાઉ છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ
રિસર્ચ(આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ, રવિવારે સૌથી
વધુ 81 લોકોમાં સંક્રમણની
પુષ્ટિ થઈ છે. અગાઉ શનિવારે 79 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા.