જો કોઈ બે વ્યક્તિ 40 મિનિટમાં આ થાળી ખાય તો તેમને સાડા 8 લાખ રૂપિયા ઈનામ પણ આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં અલગ-અલગ કાર્યક્રમો
આયોજિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે દિલ્હીની એક રેસ્ટોરાં સ્પેશિયલ થાળી લૉન્ચ
કરવા જઈ રહી છે. આ ખાસ થાળીને '56 ઈંચ મોદીજી' નામ આપવામાં આવ્યું છે. મીડિયા
રિપોર્ટ્સ મુજબ, આડરેર 2.1 નામની રેસ્ટોરન્ટ દિલ્હીના
કનૉટ પ્લેસમાં આવેલી છે. ગ્રાહકોને શાકાહારી અને માંસાહારી બંને વિકલ્પો હશે.
થાળીમાં 56 પ્રકારની વસ્તુઓ પીરસવામાં
આવશે. આ સ્પેશિયલ ઓફર 17 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી રહેશે.
સાડા 8 લાખ રૂપિયાનું ઈનામ જીતવાની તક
રેસ્ટોરન્ટમાં આવનારા ગ્રાહકો આ ખાસ થાળી દ્વારા
ઈનામ પણ જીતી શકે છે. રેસ્ટોરન્ટના માલિક સુમિત કાલરાએ જણાવ્યું હતું કે અમે આ
થાળી સાથે કેટલાક ખાસ ઈનામ રાખવાનું નક્કી કર્યું છે. જો કોઈ બે વ્યક્તિ 40 મિનિટમાં આ થાળી ખાય તો તેમને
સાડા 8 લાખ રૂપિયા ઈનામ પણ આપવામાં
આવશે. આ ઉપરાંત લોકોને કેદારનાથ જવાની પણ તક મળશે. 17થી 26 સપ્ટેમ્બર દરમિયાન
રેસ્ટોરન્ટમાં જઈને આ થાળીનો આનંદ માણનાર કપલને કેદારનાથ મંદિરમાં દર્શન કરવાની તક
મળશે. આ માટે લકી ડ્રો દ્વારા બે વ્યક્તિની પસંદગી કરવામાં આવશે. જેમ પીએમ દેશનું ભલું
કરી રહ્યા છે, તેવી જ રીતે અમે પણ ઇચ્છીએ છીએ
કે બે વ્યક્તિનું ભલું કરીએ.
બર્થડે નિમિત્તે ખાસ ગિફ્ટ આપવાની ઈચ્છા હતી
રેસ્ટોરન્ટના માલિક સુમિત કાલરાએ જણાવ્યું હતું કે
હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું સન્માન કરું છું,
તેઓ આપણા દેશનું ગૌરવ છે. અમે તેમના જન્મદિવસ
નિમિત્તે સ્પેશિયલ ગિફ્ટ આપવા ઈચ્છતા હતા,
જેથી અમે 56 ઈંચ મોદીજી થાળી લૉન્ચ કરવાનું નક્કી કર્યું હતું. અમારી ઈચ્છા હતી પીએમ મોદી
રેસ્ટોરન્ટમાં આવે અને ભોજનમાં આ સ્પેશિયલ થાળી પીરસવામાં આવે, પરંતુ સિક્યોરિટીના કારણસર તેઓ
અહીં આવી શકે તેમ નથી, પરંતુ તેમના ચાહકો અહીં આવીને સ્પેશિયલ થાળીનો આનંદ માણી શકે છે.