પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોળીઓથી થયેલી ઈજાઓ વિશે કંઈ નથી કહેવાયું
ઉત્તરપ્રદેશના લખીમપુર
ખેરીમાં રવિવારે થયેલી હિંસામાં માર્યા ગયેલા 8 લોકોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે. આ
રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેટલાક આઘાતને કારણે મૃત્યુ પામ્યા છે અને કેટલાક
હેમરેજને કારણે મૃત્યુ પામ્યા છે. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોળીઓથી થયેલી
ઈજાઓ વિશે કંઈ નથી કહેવાયું. આ હિંસામાં માર્યા ગયેલા લોકોનું પોસ્ટમોર્ટમ
સોમવારે કરવામાં આવ્યું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં
મોતનું કારણ શું હતું?
1. લવપ્રીત સિંહ (ખેડૂત)
લવપ્રીત
સિંહનું ઘસડવાથી મૃત્યુ. શરીર પર ઈજાઓ મળી આવી હતી. આઘાત અને હેમરેજ મૃત્યુનું
કારણ.
2. ગુરવિંદર સિંહ (ખેડૂત)
બે ઇજાના નિશાન ઘસડવાના
નિશાન મળ્યા. ધારદાર અથવા તીક્ષ્ણ પદાર્થને કારણે ઇજા. આઘાત અને હેમરેજ.
3. દલજીત સિંહ (ખેડૂત)
શરીર પર ઘણી જગ્યાએ
ઘસડવાના નિશાન. મૃત્યુનું કારણ બન્યું.
4. છત્ર સિંહ (ખેડૂત)
મૃત્યુ પહેલા આઘાત, હેમરેજ અને કોમા. ઘસડવાના
નિશાન પણ મળી આવ્યા હતા.
5. શુભમ મિશ્રા (ભાજપ નેતા)
લાકડીઓથી માર પડવો. શરીર
પર એક ડઝનથી વધુ જગ્યાએ ઈજાના નિશાન મળી આવ્યા હતા.
6. હરિ ઓમ મિશ્રા (અજય
મિશ્રાના ડ્રાઈવર)
લાકડીઓથી માર પડવો. શરીર
પર ઘણી જગ્યાએ ઈજાના નિશાન. મૃત્યુ પહેલા આઘાત અને હેમરેજ.
7. શ્યામ સુંદર (ભાજપ કાર્યકર)
લાકડીઓથી માર પડવો. શરીર
પર એક ડઝનથી વધુ ઈજાઓ થઈ હતી.
8. રમણ કશ્યપ (સ્થાનિક
પત્રકાર)
શરીર લાગવાના ગંભીર નિશાન.
આઘાત અને હેમરેજને કારણે મૃત્યુ.
લખીમપુરમાં શું થયું હતુ?
રવિવારે ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મૌર્ય
નિર્ધારિત કાર્યક્રમ મુજબ લખીમપુર ખેરીના પ્રવાસે હતા. કાર તેમને રિસીવ કરવા જઈ
રહી હતી. આ કારનો કાફલો કેન્દ્રીય મંત્રી અજય
મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની હોવાનું જણાવવામાં આવ્યું હતું. રસ્તામાં ખેડૂતોએ
તિકુનિયા વિસ્તારમાં વિરોધ શરૂ કર્યો. જેના કારણે અથડામણ થઈ હતી. પાછળથી એવો
આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આશિષ મિશ્રાએ ખેડૂતો પર ગાડી ચડાવી દીધી હતી, જેમાં 4 લોકો માર્યા ગયા હતા.
ખેડૂતોના મોત બાદ મામલો
વકર્યો હતો અને હિંસા ફાટી નીકળી.
હિંસામાં ભાજપના નેતાના ડ્રાઈવર સહિત ચાર લોકોના મોત થયા છે. આ હિંસામાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થયા હતા.