• Home
  • News
  • કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો, 24 કલાકમાં આટલા લોકોના જીવ ગયા
post

કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-06 10:06:27

નવી દિલ્હી: કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.  દેશભરમાં છેલ્લા 24 કલાકમાં વાયરસના 38 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસથી સતત 40 હજારથી વધુ નવા કેસ નોંધાતા હતા. 

38 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રલાયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38,948 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 3,30,27,621 પર પહોંચી ગયો છે. ગઈ કાલે દેશમાં કોરોનાના 42,766 નવા કેસ નોંધાયા હતા. હાલ દેશમાં કોરોનાના 4,04,874 દર્દીઓ સારવાર હેઠળ છે. 

એક દિવસમાં 219 લોકોના મૃત્યુ
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 219 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 4,40,752 પર પહોંચી ગયો છે. જો કે એક દિવસમાં 43,903 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ પણ થયા. અત્યાર સુધીમાં દેશમાં કુલ 3,21,81,995 દર્દીઓ રિકવર થયા છે. 

કેરળમાં નોંધાયા આટલા કેસ
નવા કેસમાં સિંહફાળો દક્ષિણ ભારતના રાજ્ય કેરળનો છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 26,701 જેટલા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 74 લોકોએ કોરાનાથી જીવ ગુમાવ્યા છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં દેશમાં કોરોના રસીના કુલ 68,75,41,762 ડોઝ અપાયા છે. 

14 લાખથી વધુ ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના આંકડા મુજબ ગઈ કાલે દેશભરમાં કોરોનાના 14,10,649 ટેસ્ટ કરાયા હતા. આ સાથે કુલ ટેસ્ટિંગનો આંકડો હવે 53,14,68,867 પર પહોંચ્યો છે. 

     

adv

Related News

post
post
post
post
post
post
post