• Home
  • News
  • બેંગ્લુરુ-મેંગલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતઃ 12 લોકોના ઘટના સ્થળે મોત, ચાર વ્યક્તિ ગંભીર
post

કારના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દેતા સામેથી આવી રહેલી એસયુવી સાથે અથડાઈ જતા આ અકસ્માત સર્જાયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-06 12:05:25

બેંગ્લુરુઃકર્ણાટકમાં બેંગ્લુરુ-મેંગલુરુ હાઈવે પર શુક્રવારે વહેલી સવારે બે કાર વચ્ચે ટક્કર થતા એક વર્ષની બાળકી સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે, તેમ પોલીસે આપેલી માહિતીમાં જણાવાયું છે.

આ ગોઝારા અકસ્માતમાં ઈજાગ્રસ્તો પૈકી ચાર વ્યક્તિની સ્થિતિ ગંભીર છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કારના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દેતા સામેથી આવી રહેલી એસયુવી સાથે અથડાઈ જતા આ અકસ્માત સર્જાયો હતો. એસયુવીમાં સવાર તમામના મોત થયા હતા જ્યારે કારમાં સવાર પૈકી ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post