• Home
  • News
  • આદિત્ય- શ્વેતાનાં લગ્ન:ઉદિત નારાયણના દીકરાનાં લગ્નના ફંક્શન શરૂ, સોશિયલ મીડિયા પર રોકા સેરેમનીનો ફોટો વાઇરલ થયો
post

આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની રોકા સેરેમનીનો એ ફોટો જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-06 10:59:41

ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણનાં લગ્નના ફંક્શન શરૂ થઇ ગયા છે. બુધવારે તેની અને શ્વેતા અગ્રવાલની રોકા સેરેમનીના ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. તેમાં કપલ તેનાં પેરેન્ટ્સ સાથે દેખાઈ રહ્યા છે. લગભગ એક દશક સુધી સાથે રહ્યા બાદ હાલમાં જ કપલે લગ્નનું અનાઉન્સમેન્ટ કર્યું હતું.

ડિસેમ્બરમાં થશે આદિત્ય-શ્વેતાનાં લગ્ન
આદિત્યે મંગળવારે પોસ્ટમાં લખ્યું, 'અમે લગ્ન કરી રહ્યાં છીએ. હું સૌથી લકી છું કે મને શ્વેતા મળી. મારી સોલમેટ, 11 વર્ષ પહેલાં અને હવે ફાઇનલી ડિસેમ્બરમાં લગ્ન કરી રહ્યા છીએ. અમે બંને ઘણા પ્રાઇવેટ લોકો છીએ અને માનીએ છીએ કે અંગત જીવનને અંગત રાખવું સૌથી સારું છે. લગ્નની તૈયારી માટે સોશિયલ મીડિયાથી બ્રેક લઇ રહ્યો છું. તમને ડિસેમ્બરમાં મળીશ.' તેણે તેની ફિલ્મના સોન્ગની લાઈન પણ લખી છે, કભી ના કભી તો મિલોગે કહીં પે હમકો યકીન હૈ.

દીકરાનો નિર્ણય સાંભળીને સ્તબ્ધ થઇ ગયા હતા ઉદિત
ઉદિત નારાયણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'મને યાદ છે કે 31 ઓગસ્ટે તે મારી પાસે આવ્યો અને કહ્યું કે પપ્પા મેં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. સાંભળીને થોડો ચોંકી ગયો હતો પણ પછી તેને આખી વાત રજૂ કરી. આદિત્યે મને શ્વેતા વિશે જણાવ્યું કે તે તેને 10 વર્ષથી જાણે છે અને તેને લાઈફ પાર્ટનર બનાવવા ઈચ્છે છે. મેં તેને માત્ર એક વાત કહી કે આગળ જઈને કઈ થયું તો માતાપિતાને દોષ ન દેતો.'

જ્યારે શ્વેતાએ આદિત્યની ઓફર રિજેક્ટ કરી દીધી હતી
સિંગર અને ટીવી હોસ્ટ આદિત્ય નારાયણના જણાવ્યા મુજબ તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલે તેની સાથે પહેલીવાર લંચ પર જવાની ના પાડી દીધી હતી. કારણકે તેણે એવું સાંભળ્યું હતું કે તે છોકરીઓ ફેરવે છે. શ્વેતાને તેની રેપ્યુટેશનને લઈને શંકા હતી. ડિસેમ્બરમાં લગ્ન કરનારા ઉદિત અને શ્વેતાએ 2010માં 'શાપિત' ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું અને ત્યાંથી જ તેમની રિલેશનશિપ સ્ટાર્ટ થઇ.

આદિત્યે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'ખરેખર હું મારી પહેલી ડેટને ડેટ કહેવા નહીં ઈચ્છું. કારણકે તે સમયે અમે 'શાપિત' ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યા હતા. મેં તેને મારી સાથે લાંબા હેન્ગઆઉટ અને લંચ માટે પૂછ્યું હતું. આ ડેટ ટાઈપનું સેટઅપ ન હતું. ત્યાં સુધી કે તેણે મારી ઓફર પણ રિજેક્ટ કરી દીધી હતી.

પછી મારી માતાએ તેને કહ્યું કે તમારે બંનેએ સાથે લંચ કરવો જોઈએ કારણકે તમે ફિલ્મ કરી રહ્યા છો. માટે અમે ઓશિવારાના 5 સ્પાઇસ રેસ્ટરાંમાં ગયા. ત્યાં અંદાજે 30 મિનિટ સુધી તે મોઢું ચડાવીને બેસી રહી. જેમ કે તેને મારી લાઈફમાં કોઈ રસ ન હોય. ઘણો મોટો ઉપકાર કર્યો હતો મારી સામે બેસીને.'

આદિત્યે આગળ જણાવ્યું હતું કે , 'મને એકદમ યાદ છે કે તેને મને પહેલીવાર ત્યારે પસંદ કર્યો જ્યારે તેણે ફેમિલી મેમ્બર્સ સાથે બોન્ડિંગ જોયું. ત્યારે તેને સમજાયું કે હું ફેમિલી મેન છું. મારા માટે રિએક્શન મેટર કરે છે. તેણે મારા વિશે સાંભળી રાખ્યું હતું કે હું છોકરીઓ ફેરવું છું. માટે હું તેની શંકા સમજી શકું છું.'

દેવાળિયા થવાની વાતને લઈને ચર્ચામાં રહ્યો આદિત્ય
હાલમાં જ આદિત્ય ત્યારે ઘણો ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેનો એક મહિના જૂનો ઇન્ટરવ્યૂ વાઇરલ થયો હતો. તેમાં તેણે પોતાની દેવાળિયા થવાની વાત કરી હતી. આદિત્યે કહ્યું હતું કે લોકડાઉનમાં તેનું સેવિંગ ખર્ચાઈ ગયું અને હવે તેના ખાતામાં માત્ર 18 હજાર રૂપિયા બચ્યા છે.

આદિત્યે સ્પષ્ટતા કરી કે તેણે આ સ્ટેટમેન્ટ મજાકમાં આપ્યું હતું. તેણે કહ્યું કે તેની પાસે પૈસા અને કામની કોઈ અછત નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post