• Home
  • News
  • ઓવૈસીએ ભાજપના પૂર્વ ધારાસભ્યને જવાબદાર ઠેરવ્યા, મોદીને કહ્યું- જે સાપને પાળ્યા છે, એ જ ડંખશે
post

હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું- અમારી ધરતી પર વિદેશી મહેમાન આવ્યા છે, એવામાં હિંસા માટે ઉશ્કેરવા શરમજનક બાબત છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-25 11:55:59

હૈદરાબાદઃ AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે દિલ્હીમાં થયેલી હિંસા માટે એક પૂર્વ ધારાસભ્યને દોષી ઠેરવ્યો છે. સાથે જ તેમણે વડાપ્રધાનને કહ્યું કે, સાપને તમે પાળ્યા છે, એ જ તમને ડંખશે. ઓવાસી હૈદરાબાદમાં નાગરિકતા સંશોધન કાયદા(CAA),નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર(NPR)અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીજન્સ(NRC)ના વિરોધમાં યોજાયેલા કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ ઉપરાંત રાહુલ ગાંધીએ પણ હિંસાને ખોટી ઠેરવી છે. તેમણે કહ્યું કે, શાંતિપૂર્ણ દેખાવ સ્વસ્થ લોકતંત્રનું પ્રતીક છે. પરંતુ હિંસા કરવી ઠીક નથી. સાથે જ કેજરીવાલે પણ રાજધાનીની હાલની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લોકોને સંયમ રાખવાની અપીલ કરી છે.

ત્યારબાદ તેમણે ટ્વીટ કર્યું કે, ‘અહીંયા હુલ્લડો તો એક પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતાની ઉશ્કેરણીનું પરિણામ હતું. જેમાં પોલીસની સંડોવણી હોવાના પણ સ્પષ્ટ પુરાવા છે. પૂર્વ ધારાસભ્યની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. હિંસાને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક પગલા લેવા જોઈએ, નહીં આ વધારેને વધારે ફેલાતી જશે

 જો કે તેમને કોઈ નેતાનું નામ લીધું નથી. પરંતુ ઓવૈસી સ્પષ્ટ રીતે ભાજપ નેતા કપિલ મિશ્રા અંગે આવી વાતો કહી રહ્યા હતા. કારણ કે કપિલ મિશ્રાએ જાફરાબાદ અને ચાંદબાગમાં રસ્તાને ખાલી કરાવવા માટે 3 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.

દિલ્હી પોલીસને ત્રણ દિવસનું અલ્ટીમેટમ- જાફરાબાદ અને ચાંદબાગના રસ્તા ખાલી કરાવો ત્યારબાદ અમને ના સમજાવતા, અમે તમારું પણ નહીં સાંભળીએ, માત્ર ત્રણ દિવસ

શાહને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી
ઓવૈસીએ કહ્યું કે, દિલ્હીમાં થયેલી હિંસાની નિંદા કરું છું, જેમાં પોલીસ અને અન્ય ઘણા નાગરિકો ભોગ બની મોતને ભેટ્યા છે. સાથે જ કહ્યું કે, આ દેશ માટે શરમની વાત છે કે વિદેશી મહેમાન આપણી ધરા પર આવ્યા છે અને હિંસા ભડકી છે. તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં શાંતિ સ્થાપવાની માંગ કરી હતી. સાથે જ કહ્યું કે, હિંસાને અટકાવવા માટે દિલ્હી પોલીસ પર દબાણ કરવું જોઈએ.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post