સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કિઆરા તથા સિદ્ધાર્થ કોકટેલ પાર્ટી તથા રિસેપ્શન પણ આપવાનાં છે
મુંબઈ: બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણી છેલ્લા
ઘણા સમયથી એકબીજાને ડેટ કરે છે. કરન જોહરના ચેટ શો 'કૉફી વિથ કરન'માં બંનેએ મિત્રો કરતાં
વિશેષ હોવાનો સ્વીકાર કર્યો હતો. હવે ચર્ચા છે કે બંને આવતા વર્ષે એપ્રિલમાં લગ્ન
કરવાનાં છે. નોંધનીય છે કે આ વર્ષે એપ્રિલમાં રણબીર-આલિયાએ તથા ઓક્ટોબરમાં અલી
ફઝલ-રિચા ચઢ્ઢાએ લગ્ન કર્યાં હતાં.
કિઆરા તથા સિદ્ધાર્થ
પહેલી વાર 2018માં 'લસ્ટ સ્ટોરી'ની પાર્ટીમાં મળ્યાં હતાં. ત્યાર બાદ બંનેએ ફિલ્મ 'શેરશાહ'માં સાથે કામ કર્યું
હતું. આ ફિલ્મમાં બંનેની કેમિસ્ટ્રી જોરદાર જોવા મળી હતી.
દિલ્હીમાં લગ્ન કરશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે,
સિદ્ધાર્થ તથા કિઆરા દિલ્હીમાં લગ્ન કરવાનાં છે.
સિદ્ધાર્થનો પરિવાર દિલ્હીમાં જ રહે છે. સિદ્ધાર્થ તથા કિઆરા લગ્ન માટે ઉત્સુક છે.
તેઓ આવતા વર્ષે એપ્રિલમાં લગ્ન કરવાનાં હોવાની ચર્ચા છે. જોકે આ લગ્નમાં પરિવારના
સભ્યો અને માત્ર નિકટના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવશે. બોલિવૂડ સ્ટાર્સને આ
લગ્નમાં ઇન્વાઇટ કરવામાં આવશે નહીં.
કોકટેલ પાર્ટી તથા રિસેપ્શન આપશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે,
કિઆરા તથા સિદ્ધાર્થ કોકટેલ પાર્ટી તથા રિસેપ્શન પણ આપવાનાં
છે. માનવામાં આવે છે કે તેઓ કોકટેલ પાર્ટી તથા રિસેપ્શનમાં બોલિવૂડ સ્ટાર્સને
ઇન્વાઇટ કરશે. જોકે આ બંને ફંક્શન દિલ્હીમાં જ યોજાવાનાં છે.
થોડા સમય પહેલાં જ બ્રેકઅપની વાતો થઈ હતી
થોડા સમય પહેલાં બંને વચ્ચે બ્રેકઅપ થયું હોવાની
વાતો ચર્ચાતી હતી. એક્ટ્રેસે સિદ્ધાર્થને 'ભુલભુલૈયા 2'ના પ્રીમિયર માટે ઇન્વાઇટ
કર્યો હતો. સિદ્ધાર્થ જૂની વાતો ભૂલીને પ્રીમિયરમાં આવ્યો હતો અને બંને વચ્ચે
સમાધાન થયું હતું. ત્યાર બાદથી સિદ્ધાર્થ તથા કિઆરા સાથે જોવા મળે છે.