• Home
  • News
  • 'અનુપમા' ફેમ એક્ટર ઋતુરાજ સિંહનું નિધન:59 વર્ષની ઉંમરે આવ્યો હાર્ટ એટેક, અરશદ વારસીએ કહ્યું, 'એક અદ્ભુત અભિનેતા ગુમાવ્યા છે'
post

અરશદ ઉપરાંત બોલિવૂડ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ ટ્વિટ કરીને ઋતુરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, 'ઋતુરાજ, મારા મિત્ર.. તમે આ કેવી રીતે થવા દીધું? કેટલું બાકી હતું… કલાકારો ક્યારેય મરતા નથી… ઓમ શાંતિ'.

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-20 17:40:30

પ્રખ્યાત ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. 59 વર્ષના ઋતુરાજને ગઈકાલે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ સ્વાદુપિંડ સંબંધિત બીમારીથી પીડિત હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લે એમેઝોન પ્રાઈમની વેબસિરીઝ 'ઈન્ડિયન પોલીસ ફોર્સ'માં ઈરાનના આતંકવાદીની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

મિત્ર અને અભિનેતા અમિત બહલે પુષ્ટિ કરી
ઋતુરાજના નિધનના સમાચારની પુષ્ટિ તેમના નજીકના મિત્ર અભિનેતા અમિત બહલે કરી છે. અમિતે કહ્યું, 'હા, તેમનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. તેમને સ્વાદુપિંડની સારવાર માટે થોડા દિવસો પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી, જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે તેમને હૃદયની કેટલીક સમસ્યાઓ હતી જ્યારે પછી તેમનું મૃત્યુ થયું હતું.

અરશદ વારસીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું
બોલિવૂડ એક્ટર અરશદ વારસીએ ટ્વિટ કરીને ઋતુરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અરશદે જણાવ્યું કે તે અને ઋતુરાજ એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. અભિનેતાએ લખ્યું, 'ઋતુરાજના નિધનના સમાચાર સાંભળીને દુઃખી છું. અમે એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. નિર્માતા તરીકે તે મારી પ્રથમ ફિલ્મનો ભાગ હતા. એક સારો મિત્ર અને અદ્ભુત અભિનેતા ગુમાવ્યો... તમને યાદ કરીશ ભાઈ...'

વિવેક અગ્નિહોત્રીએ કહ્યું- 'કલાકારો ક્યારેય મરતા નથી'
અરશદ ઉપરાંત બોલિવૂડ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ ટ્વિટ કરીને ઋતુરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, 'ઋતુરાજ, મારા મિત્ર.. તમે આ કેવી રીતે થવા દીધું? કેટલું બાકી હતું… કલાકારો ક્યારેય મરતા નથી… ઓમ શાંતિ'.

ઋતુરાજ સિંહ છેલ્લે લોકપ્રિય ટીવી શો 'અનુપમા'માં જોવા મળ્યા હતા
અભિનેતાના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઋતુરાજે 1989માં રિલીઝ થયેલી ટીવી ફિલ્મથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. દિવંગત અભિનેતા ઋતુરાજે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સહિત અન્ય ઘણા લોકપ્રિય ટીવી શોમાં પણ કામ કર્યું છે. અભિનેતાના અંગત જીવનની વાત કરીએ તો ઋતુરાજ સિંહનું પૂરું નામ ઋતુરાજ સિંહ ચંદ્રાવત સિસોદિયા હતું. તેમનો જન્મ રાજસ્થાનના કોટામાં સિસોદિયા રાજપૂત પરિવારમાં થયો હતો.







adv

Related News

post
post
post
post
post
post
post