બેનર્જીએ કહ્યું- ભારતીય અર્થવ્યવસ્થામાં સુધાર દેખાઇ રહ્યો છે, પરંતુ આ શરૂઆતના આંકડાં છે
જયપુર: અર્થશાસ્ત્રનું
નોબેલ જીતનાર અભિજીત બેનર્જી રવિવારે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે જો તેઓ ભારતમાં હોત તો નોબેલ પુરસ્કાર ન મેળવી શકત. તેમણે કહ્યું કે ભારતમાં ટેલેન્ટની કમી નથી પરંતુ સપોર્ટ સિસ્ટમ વધુ સારી ન હોવાના કારણે ઘણી કોશિષો સફળ નથી થતી.
ભારતીય-અમેરિકન અર્થશાસ્ત્રી બેનર્જીએ કહ્યું- હું ભારતમાં રહ્યો હોત તો નોબેલ પુરસ્કાર ન જીતી શક્યો હોત. તેનો અર્થ એ નથી કે દેશમાં સારી પ્રતિભાઓ નથી પરંતુ એક વ્યવસ્થિત સિસ્ટમ હોવી પણ જરૂરી છે. એકલી વ્યક્તિ માટે આ ઉપલબ્ધિ મેળવવી શક્ય નથી. તેમણે કહ્યું કે જે કામ માટે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો તેમાં બીજા લોકોનું પણ ખૂબ મોટું યોગદાન છે.
લિટરેચર
ફેસ્ટમાં નોબેલ વિજેતાએ આ 5 વાતો કહી
1. બેનર્જીએ કહ્યું- 2 મહિનાથી ભારતની અર્થવ્યવસ્થામાં
અમુક સારા સંકેત દેખાઇ રહ્યા છે. હું એ ન કહી શકું કે આ ક્યાં સુધી યથાવત રહેશે કારણ કે નવા આંકડાંઓ નિરંતર આવતા રહે છે. એવુ નથી લાગતું કે આપણે જલદીથી આ સમસ્યાથી બહાર નિકળી શકીશું. તેમાં લાંબો સમય લાગશે. આપણી પાસે અત્યારે એટલા રૂપિયા નથી જેનાથી અર્થવ્યવસ્થા સુધરી શકે કે બેન્કિંગ સેક્ટરમાં પૈસા લગાવી શકીએ. અર્થવ્યવસ્થામાં સુધાર માટે ધીરે ધીરે ઘણી ચીજો પર કામ કરવાની જરૂરિયાત છે.
2. તેમણે કહ્યું- ભારતમાં છેલ્લા 30 વર્ષમાં ગરીબીમાં ઉલ્લેખનીય કમી આવી છે. 1990માં 40 ટકા લોકો ગરીબ હતા જે હવે ઘટીને 20 ટકાથી ઓછા રહી ગયા છે. જનસંખ્યા વધવાના દ્રષ્ટિકોણથી ગરીબ લોકોની સંખ્યામાં આ મોટી કમી છે. જે ખૂબ ગરીબ છે તેમને સબ્સિડી દેવી કોઇ ખોટી વાત નથી. અમુક સબ્સિડી ગરીબો માટે છે અમુક બીજા લોકો માટે. તેમાં ભ્રમ ઓછો કરવો જરૂરી છે.
3. વિપક્ષ કોઇ પણ લોકતંત્રનું દિલ હોય છે. સત્તારૂઢ પાર્ટીને પણ સારા વિપક્ષની જરૂરિયાત રહે છે. સારો વિપક્ષ ન હોય તો સરકાર પર પ્રેશર બનતું નથી. અત્યારે વિપક્ષ વિખરાયેલો છે. તેના ઘણા ભાગ હોય છે. ખબર નહીં કયો ભાગ ક્યારે અને કોની સાથે જોડાઇ જાય. એક સ્થિર વિપક્ષ હોવાથી જે દબાણ સરકાર પર બનવું જોઇએ તે નથી બની શક્યું.
4. અભિજીતે કહ્યું- હું RBIનો ગવર્નર ન બની શકું. તેના માટે માઇક્રો ઇકોનોમિસ્ટ હોવું જરૂરી છે અને હું તેનાથી દૂર રહ્યો છું. એવું નથી થતું કે માઇક્રો ઇકોનોમિક્સ ન જાણનાર વ્યક્તિને ગવર્નર બનાવવામાં આવે.
5. ઉત્તર પ્રદેશમાં તેમના એક અભિયાનનો ઉલ્લેખ કરતા કહ્યું- અમે લોકોને ધર્મ અને જાતિના આધારે મતદાન ન કરવાની અપીલ કરી હતી. કેમ્પેનમાં અમારો પ્રયાસ હતો કે લોકો વિકાસ અને અન્ય જરૂરી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટીંગ કરે.
બેનર્જીએ બાળકોના ઉછેર માટે સલાહ આપી
બાળકોના અભ્યાસથી જોડાયેલા એક સવાલ પર તેમણે કહ્યું- બાળકોને દરેક વિષય સમજાતા નથી. તેમને એ વિષય જ સમજાય છે જેમાં તેમને રસ હોય છે. તેથી તેમને એ વિષય જ ભણાવવો જોઇએ. ચોથા ધોરણમાં બાળકને સોશિયલ સ્ટડી ભણાવવામાં આવે છે અને બાળકને આટલું વાંચવામાં રસ નથી તો તે તેના માટે બીજી ભાષાની ફિલ્મ જોવા જેવું થશે.