• Home
  • News
  • BJP સાંસદનું દિલ્હીમાં શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ, ભાજપની સંસદીય દળની બેઠક રદ
post

હિમાચલ પ્રદેશના મંડીથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામ સ્વરૂપ શર્માનું આજે નિધન થયું. તેમનો મૃતદેહ દિલ્હી સ્થિત તેમના સરકારી આવાસમાં મળી આવ્યો છે. રામ સ્વરૂપ શર્માનું સંદિગ્ધ હાલતમાં મોત થયા બાદ આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-17 10:34:01

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના મંડીથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામ સ્વરૂપ શર્માનું આજે નિધન થયું. તેમનો મૃતદેહ દિલ્હી સ્થિત તેમના સરકારી આવાસમાં મળી આવ્યો છે. રામ સ્વરૂપ શર્માનું સંદિગ્ધ હાલતમાં મોત થયા બાદ આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

ભાજપે રદ કરી સંસદીય દળની બેઠક
રામ સ્વરૂપ શર્માના નિધન બાદ ભારતીય જનતા પાર્ટીએ આજે દિલ્હીમાં થનારી સંસદીય દળની બેઠક રદ કરી છે. અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બાકીના ઉમેદવારના નામ પર આજે બેઠકમાં ચર્ચા થવાની હતી. 

adv

Related News

post
post
post
post
post
post
post