પશ્ચિમ બંગાળથી ભાજપ માટે ખરાબ સમાચાર આવ્યા છે. આસનસોલથી સાંસદ બાબુલ સુપ્રિયોએ રાજનીતિ છોડવાની જાહેરાત કરી છે.
Written By newsonline | Ahmedabad | Published: 2021-07-31 17:25:49
કોલકત્તાઃ પશ્ચિમ
બંગાળના આસનસોલથી ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ
રાજનીતિ છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી
રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા
નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યુ ત્યારે બાબુલ સુપ્રીયોને
મંત્રીમંડળમાંથી પડતા મુક્યા હતા. સુપ્રિયો મોદી સરકારના કાર્યકાળમાં પણ મંત્રી
હતા.
સુપ્રિયોએ કહ્યુ કે લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં રહેવાની જરૂર નથી. તે
રાજનીતિથી અલગ થઈને પોતાના ઉદ્દેશ્યને પણ પૂરા કરી શકે છે. તેના તરફથી તે વાત પર
ભાર આપવામાં આવ્યો છે કે તે હંમેશા ભાજપનો ભાગ રહ્યા છે અને રહેશે. તે કહે છે કે
તેના આ નિર્ણયને 'તે' સમજી જશે.