પાટણ જિલ્લાની મહત્વની બેઠક માનવામાં આવે છે સિદ્ધપુર બેઠક. પુરુષ માટે તર્પણ માટે ચાણોદ અને મહિલાઓ માટે તર્પણની વિધિ સિદ્ધપુરમાં કરવામાં આવે છે. આ બેઠક પર કોંગ્રેસ મોટાભાગે વિજયી બન્યું છે. જ્યારે ભાજપ 1962થી લઈને અત્યાર સુધી માત્ર 4 વખત જ વિજયી બન્યું છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની
ચૂંટણીમાં પાટણ જિલ્લાની મહત્વની બેઠક છે સિદ્ધપુર. આ બેઠક પર છેલ્લી બે ટર્મથી
કોંગ્રેસ વિજયી બન્યું છે. પરંતુ આ વખતે કાંટે કી ટક્કર જોવા મળશે તે નક્કી છે.
સિદ્ધપુર માતૃ તર્પણ માટે જાણીતું છે. ભાજપ-કોંગ્રેસ એકબીજાને અહીંયા ટક્કર આપી
રહ્યા છે. કેમ કે છેલ્લી પાંચ ચૂંટણીમાં અહીંયા ભાજપ અને કોંગ્રેસનો મુકાબલો
2-3નો રહ્યો છે. ત્યારે આ વખતે કોંગ્રેસ જીત મેળવીને અંતર
વધારવાનો પ્રયાસ કરશે તે નક્કી છે.
સિદ્ધપુર બેઠક:
સિદ્ધપુર બેઠક પર સિદ્ધપુર
તાલુકો અને પાટણ તાલુકાના 36 ગામડાઓનો
સમાવેશ થાય છે. જેમાં અજુજા, મુના,
ખરેડા,
ઉંટવાડા,
અમરપુરા,
વહાણા,
ભાટસણ,
કોઈતા,
રવિયાણા,
ખોડાણા,
હૈદરપુરા,
દેલવાડા,
ગણેશપુરા,
જખા,
લક્ષ્મીપુરા,
કનોસણ,
વડુ,
કિંબુઆ,
કોટવાડ અને સનોદર્દા જેવા
ગામડાઓનો સમાવેશ થાય છે.
સિદ્ધપુર બેઠક પર મતદારો:
સિદ્ધપુર બેઠક પર 1
લાખ 37
હજાર 807
પુરુષ મતદારો છે. અને 1
લાખ 27
હજાર 843
મહિલા મતદારો છે. આ બેઠક પર
કુલ 2 લાખ 65
હજાર 650
મતદારો છે.
સિદ્ધપુર બેઠકનું રાજકીય
સમીકરણ:
આ બેઠક પર 27
ટકા ઠાકોર,
24 ટકા મુસ્લિમ,
11 ટકા દલિત મતદારો,
9 ટકા પાટીદાર,
8 ટકા બક્ષીપંચ મતદારો,
6 ટકા માલધારી,
5 ટકા સવર્ણ અને 10
ટકા અન્ય મતદારો છે. જ્યારે
જ્ઞાતિ પ્રમાણે મતદારોના આંકડા પર નજર કરીએ તો સિદ્ધપુરમાં સૌથી વધારે 65,000
ઠાકોર મતદારો,
63 હજાર મુસ્લિમ મતદારો,
25 હજાર પટેલ,
12 હજાર રબારી,
5900 બ્રાહ્મણ,
3800 રાજપૂત સહિત અન્ય સમાજના
મતદારોનો સમાવેશ થાય છે. આ બેઠક પર અત્યાર સુધી અલગ-અલગ ધર્મના ધારાસભ્ય બન્યા છે.
સિદ્ધપુર બેઠકનો ટ્રેક
રેકોર્ડ:
પક્ષ વિજેતા ઉમેદવાર વર્ષ
કોંગ્રેસ બાલુ બકરુદ્દીન 1962
કોંગ્રેસ પી.એન.લલ્લુભાઈ 1967
એનસીઓ પટેલ વિઠ્ઠલભાઈ 1972
એનસીઓ પટેલ વિઠ્ઠલભાઈ 1975
કોંગ્રેસ બટી શરીફભાઈ 1980
કોંગ્રેસ રાવલ નરેન્દ્રભાઈ 1985
ભાજપ જય નારાયણ વ્યાસ 1990
ભાજપ જય નારાયણ વ્યાસ 1995
ભાજપ જય નારાયણ વ્યાસ 1998
કોંગ્રેસ બળવંતસિંહ રાજપૂત 2002
ભાજપ જય નારાયણ વ્યાસ 2007
કોંગ્રેસ બળવંતસિંહ રાજપૂત 2012
કોંગ્રેસ ઠાકોર ચંદનજી 2017
સિદ્ધપુરની સમસ્યાઓ:
સિદ્ધપુરમાં મોટાભાગે લોકોને
આરોગ્ય સુવિધાની ખાસ જરૂર છે. ખેતીવાડી પર નિર્ભર લોકો સુજલામ સુફલામ કેનાલમાં
પાણી માગી રહ્યા છે. ખેડૂતો કેનાલમાં પાણી મળી રહે તેવી માગણી કરે છે. સાથે જ
સરસ્વતી નદીમાં પાણી છોડી બારેમાસ વહેતી કરવામાં આવે તેવી જૂની માગણી હજુ પૂરી થઈ
નથી. આ તમામ મુદ્દાઓ આ વખતે ચૂંટણીમાં મહત્વના બનશે. આ વખતે ભાજપ જો બળવંતસિંહ
રાજપૂતને ટિકિટ આપે તો બેઠક પર કાંટે કી ટક્કર જોવા મળી શકે તેમ છે.