• Home
  • News
  • કેબિનેટના નિર્ણય- 10 હજાર e-bus ચલાવશે કેન્દ્ર:3 લાખથી વધુ વસતિ ધરાવતા 100 શહેરોને આવરી લેવાશે, કામદારોને એક લાખની લોન મળશે
post

નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ 18 સુપર કોમ્પ્યુટર તૈનાત કરવામાં આવ્યા છે. હવે તેમાં વધુ નવ સુપર કોમ્પ્યુટર ઉમેરવામાં આવશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-16 18:11:53

કેબિનેટે 16 ઓગસ્ટ, બુધવારે વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપી દીધી. તેના દ્વારા દેશના નાના કામદારોને લોનથી લઈને કૌશલ્ય વિકસાવવામાં મદદ મળશે. સરકાર આ યોજના પર 5 વર્ષમાં 13,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. વિશ્વકર્મા યોજનાનો ઉદ્દેશ વણકર, સુવર્ણકાર, લુહાર, લોન્ડ્રી કામદારો, વાળંદ વગેરેને સશક્ત બનાવવાનો છે.

આ ઉપરાંત પીએમ ઈ-બસ સેવા હેઠળ 10,000 બસો ચલાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ અને અનુરાગ ઠાકુરે કેબિનેટના નિર્ણયોની જાણકારી આપી.

વિશ્વકર્મા યોજનામાં નવા કૌશલ્યો, સાધનો, ક્રેડિટ સપોર્ટ અને માર્કેટ સપોર્ટ આપવામાં આવશે:

·         યોજના હેઠળ બે પ્રકારની કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. મૂળભૂત અને એડવાન્સ.

·         તાલીમ દરમિયાન રોજનું 500 રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે.

·         આધુનિક સાધનો ખરીદવા માટે સરકાર 15,000 રૂપિયાની સહાય આપશે.

·         એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. મહત્તમ 5% વ્યાજ હશે.

·         એક લાખના સમર્થન પછી આગામી તબક્કામાં 2 લાખ સુધીની લોન મળશે.

·         બ્રાન્ડિંગ, ઓનલાઈન માર્કેટ એક્સેસ જેવા સપોર્ટ આપવામાં આવશે.

·         પ્રથમ વખત 18 પરંપરાગત વેપારોનો સમાવેશ કરવામાં આવ્યો છે

PM ઈ-બસ સેવાને પણ મંજૂરી, 10,000 નવી ઇલેક્ટ્રિક બસો દોડશે
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે પીએમ ઈ-બસ સેવા યોજના પર 57,613 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેમાંથી 20,000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર અને બાકીના રાજ્ય સરકારો આપશે. આ અંતર્ગત દેશભરમાં લગભગ 10,000 નવી ઇલેક્ટ્રિક બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે બસો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ પર ચલાવવામાં આવશે. આ યોજનામાં 3 લાખ અને તેથી વધુ વસતિ ધરાવતા 169 શહેરોને આવરી લેવામાં આવશે. આ યોજનાથી 45,000-55,000 લોકોને રોજગાર મળવાની અપેક્ષા છે.

32,500 કરોડના 7 રેલ પ્રોજેક્ટને મંજૂરી
કેબિનેટે રેલવે મંત્રાલયના સાત પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તેના પર લગભગ 32,500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ ભારતીય રેલવેના વર્તમાન નેટવર્કને 2,339 કિમી સુધી વિસ્તરણ કરશે.

આ નવા રેલ્વે પ્રોજેક્ટ નવ રાજ્યોના 35 જિલ્લાઓને આવરી લેશે યુપી, બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા.

ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણ માટે મંજૂરી
કેબિનેટે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને પણ મંજૂરી આપી છે. આના માટે 14,903 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ડિજિટલ ઈન્ડિયાએ આઈટી પ્રોફેશનલ્સના કૌશલ્ય સ્તરમાં સુધારો કર્યો છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ 5.25 લાખ આઈટી પ્રોફેશનલ્સને રિસ્કિલ્ડ અને અપગ્રેડ કરવામાં આવશે. 2.65 લાખ લોકોને આઈટીની તાલીમ આપવામાં આવશે.

નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ 18 સુપર કોમ્પ્યુટર તૈનાત કરવામાં આવ્યા છે. હવે તેમાં વધુ નવ સુપર કોમ્પ્યુટર ઉમેરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post