ગલવાનમાં 20 સૈનિકોની શહીદી પછી છેલ્લાં 3 મહિનાથી ચાલી રહેલા ટેન્શન દરમિયાન ભારતીય સેનાએ તેમના રુલ ઓફ એંગેજમેન્ટમાં ફેરફાર કર્યા છે
સીમા પર ફાયરિંગ મામલે
ભારતીય સેનાએ ચીનનું નિવેદન ખોટુ ગણાવ્યું છે. ભારતીય સેનાએ કહ્યું છે કે, પહેલું ફાયરિંગ ચીન
તરફથી થયું હતું. જ્યારે ચીનનું કહેવું છે કે, પહેલું ફાયરિંગ ભારત તરફથી થયું છે. સેનાના નિવેદન
પ્રમાણે 7
સપ્ટેમ્બરે
ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (PLA) આપણી ફોરવર્ડ પોઝીશન નજીક આવવાનો પ્રયત્ન કરતી હતી.
જ્યારે ભારતીય સૈનિકોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમના તરફથી ફાયરિંગ
કરવામાં આવ્યું હતું. ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોને ઉશ્કેર્યા હોવા છતા ભારતીય
સૈનિકોએ જવાબદારીભર્યું વર્તન કર્યું હતું.
ચીનના મીડિયા પ્રવક્તાએ
કહ્યું કે,
જ્યારે
ચીનની આર્મીની પેટ્રોલિંગ પાર્ટી ભારતીય જવાનો સાથે વાતચીત કરવા માટે આગળ વધી તો
ભારતીય આર્મીએ જવાબમાં વોર્નિંગ શૉટ ફાયર કર્યા. જો કે ભારતીય આર્મીએ આ મામલે હજુ
સુધી કોઇ સત્તાવાર નિવેદન નથી આપ્યું.
શું થયું 7 સપ્ટેમ્બર
સોમવારે
ચીનના સૈનિકો આગળ વધીને ભારતીય
વિસ્તારમાં કબજો કરવાનો પ્રયત્ન કરતા હતા. તેઓ ભારતીય સેનાની લોકેશનની ઘણાં નજીક
આવી ગયા હતા. ભારતીય સેનાએ તેમને પીછે હટ કરવા કહ્યું હતું. વિવાદ વધતા ભારતીય
સેનાએ ચેતવણી આપીને હવામાં ફાયર કરવું પડ્યું હતું. આ વિસ્તાર રેચન લાનો છે.
સૂત્રોના
જણાવ્યા પ્રમાણે આ વિવાદ દરમિયાન એક-બે નહીં પરંતુ ઘણાં રાઉન્ડ ફાયરિંગ કરવું
પડ્યું હતું. ચીની સૈનિકોએ પણ ફાયર કર્યું હતું. જોકે હજી એ ખુલાસો નથી થઈ શક્યો
કે, પહેલાં ચીની સૈનિકોએ ફાયર કર્યું હતું કે ભારતીય જવાનોએ. આ
ફાયરિંગ પછી ચીની સૈનિકો તેમના લોકેશન પર પરત ફર્યા હતા અને હાલ સ્થિતિ સામાન્ય
છે.
ગલવાનમાં 20 સૈનિકો ગુમાવ્યા પછી અને છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલા
વિવાદ પછી ભારતીય સેનાએ તેમના રુલ ઓફ એંગેજમેન્ટમાં ફેરફાર કર્યા છે. આપણાં
સૈનિકોને ઓર્ડર મળ્યા છે કે, જો સ્થિતિ ખરાબ થવા લાગે અને
ચીની સૈનિકો લોકેશન નજીક આવવાનો પ્રયત્ન કરે તો તેઓ ફાયરિંગ કરી શકે છે.
ભારત સૈનિકોને નિયંત્રિત કરે
આ પહેલાં 1 સપ્ટેમ્બરે ભારતમાં ચીની એમ્બેસેડરે એક નિવેદન જાહેર કરીને
આરોપ લગાવ્યો હતો કે, ભારતીય સૈનિકોએ પેંન્ગોગ સો ઝીલના દક્ષિણ કિનારા પર ફરી LAC ક્રોસ કરી છે. ચીની સેનાના વેર્સ્ટન થિયેટર કમાન્ડના
પ્રવક્તા કરનલ ઝાંગ શુઈલીએ પણ એવું કહ્યું છે કે, ભારતે તેમના
સૈનિકોને નિયંત્રણમાં રાખવા જોઈએ. તેમના જણાવ્યા પ્રમાણે જ્યારે ચીનના બોર્ડર
ગાર્ડ્સે તેમને રોક્યા ત્યારે ભારતીય સૈનિકોએ ગોળી ચલાવી હતી. ત્યારપછી PLAના સૈનિકોએ સ્થિતિ સંભાળવી પડી હતી. ન્યૂઝ એજન્સી ANIના સૂત્રોએ પણ LAC પર ફાયરિંગ
થયું હોવાની વાત કહી છે.
ત્રણ કારણ, પેંગોન્ગમાં
ચીન કેમ ગભરાયેલું?
·
પહેલું-
બ્લેક ટોપ અને હેલમેટ ટોપ પર ભારતીય સેનાએ મજબૂત પોઝિશન લીધા પછી ચીનની પોસ્ટ
ભારતીય ફાયરિંગની રેન્જમાં.
·
બીજુ-
ભારતીય સૈનિકો ઉંચાઈ પર છે, જ્યારે ચીનની પોસ્ટ નીચે છે. ચીનની પોઝિશન અને ટ્રુપને
ભારતીય વિસ્તારમાંથી જોઈ શકાય છે. અને તેના પર નજર પણ રાખી શકાય છે.
·
ત્રીજું-
આપણી પોઝિશનથી ચીનના ભારતીય વિસ્તારોમાં એન્ટ્રી પોઈન્ટ્સ બંધ થઈ ગયા છે. જે
વિસ્તારને LAC ગણાવીને ચીન ભારતીય સીમામાં પેટ્રોલિંગ કરતા હતા ત્યાં હવે
ભારતીય સેનાનો દબદબો છે.
45 વર્ષ પહેલાં ચીને આ રીતે જ દગો કર્યો હતો
બંને દેશોની સીમા પર આ પહેલાં 45 વર્ષ પહેલાં ગોળી ચાલી હતી. 20 ઓક્ટોબર 1975ના રોજ અરુણાચલ પ્રદેશના તુલુંગ લા માં ચીનના આસામ રાઈફલની
પેટ્રોલિંગ પાર્ટી પર દગાથી એમ્બુશ લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં ભારતના
4 જવાન શહીદ થયા હતા. જ્યારે આ વર્ષે જૂનમાં ગલવાનમાં બંને
દેશો વચ્ચે થયેલી ઝપાઝપીમાં 20 સૈનિકો શહીદ થયા હતા. જોકે
ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝપાઝપી દરમિયાન ચીન અને ભારતના સૈનિકો દ્વારા ગોળીબાર
કરવામાં આવ્યો નહતો.
ભારતીય
સેનાએ પેંગોન્ગ સો ઝીલ વિસ્તારના મહત્વના મુકામ પર કબજો કર્યો છેલ્લા બે સપ્તાહમાં
ભારતીય અને ચીની સેના બે વાર આમને સામને આવ્યા છે. 31 ઓગસ્ટની
બપોરે પણ ચીની સેનાએ ભારતીય વિસ્તાર પર કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે તે
પહેલાં 29-30 ઓગસ્ટની રાતે ચીનના પ્રયત્નો નિષ્ફળ કરતાં ભારતીય સેનાએ પેંગોન્ગ ઝીલના દક્ષિણ વિસ્તારમાં આવેલા મહત્વના બે વિસ્તાર
બ્લેક ટોપ અને હેલમેટ ટોપ પર કબજો કરી લીધો હતો. રણનીતિના ભાગરૂપે આ બંને જગ્યાઓ
ખૂબ મહત્વની માનવામાં આવે છે. અહીંથી ચીની સૈનિકો ખૂબ ઓછા અંતરે આવેલા છે. રવિવાર
અને સોમવારની રાતે ચીની સૈનિકોએ આ જગ્યાઓ પર કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ
ભારતીય સેનાની સ્પેશિયલ ઓપરેશન બટાલિયને તેમને ત્યાંથી ખદેડી દીધા હતા અને આખો
વિસ્તાર કબજે કરી લીધો હતો.