રાહુલે પણ ટ્વીટ કર્યું - હું મણિપુરના મારાં તમામ ભાઈઓ અને બહેનોને સાંભળવા આવ્યો છું.
મણિપુરના CM બિરેન સિંહે સાંજે 4.15 વાગ્યે એક ટ્વિટ
કર્યું અને લખ્યું - હું આ સમયે રાજીનામું નથી આપવાનો . એટલે કે બિરેન સિંહે
સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ મુખ્યમંત્રીની ખુરશી છોડવાના નથી.
મણિપુરમાં 3 મેથી ચાલી રહેલી હિંસા
વચ્ચે શુક્રવાર સવારથી એવી અટકળો ચાલી રહી હતી કે મુખ્યમંત્રી એન. બિરેન સિંહ પદ
છોડવાના છે.
જોકે, અટકળો વચ્ચે મહિલાઓનું
એક જૂથ ઇમ્ફાલમાં રાજભવન પહોંચ્યું હતું. મહિલાઓએ માંગ કરી હતી કે બિરેન સિંહે
રાજીનામું ન આપવું જોઈએ, પરંતુ હિંસા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
એન બિરેન સિંહનું રાજીનામું, જે વાયરલ થઈ રહ્યું છે
પહેલા દિવસે
ચુરાચાંદપુરમાં લોકોને મળ્યા
રાહુલ ગુરુવારે મણિપુરની બે દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રવાસના પહેલા
દિવસે રાહુલ સરકારી હેલિકોપ્ટરમાં ચુરાચાંદપુર પહોંચ્યા હતા અને હિંસા પીડિતોને
મળવા માટે ત્યાંની રાહત શિબિરની મુલાકાત લીધી હતી.
રાહુલે પણ ટ્વીટ કર્યું
- હું મણિપુરના મારાં તમામ ભાઈઓ અને બહેનોને સાંભળવા આવ્યો છું. દરેક સમુદાયના
લોકો ખૂબ જ આવકારદાયક અને પ્રેમાળ છે. સરકાર મને રોકી રહી છે એ ખૂબ જ
દુર્ભાગ્યપૂર્ણ છે. મણિપુરને ઈલાજની જરૂર છે. શાંતિ અમારી એકમાત્ર પ્રાથમિકતા હોવી
જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું- મણિપુરને શાંતિની જરૂર છે
રાહુલ ગાંધી 2
દિવસના મણિપુર પ્રવાસે છે. શુક્રવારે મોઇરાંગ રાહત
શિબિરમાં હિંસાથી અસરગ્રસ્ત લોકોને મળ્યા બાદ તેમણે કહ્યું- મણિપુરને શાંતિની જરૂર
છે. હું ઈચ્છું છું કે અહીં શાંતિ પુનઃસ્થાપિત થાય. મેં કેટલાક રાહત શિબિરોની
મુલાકાત લીધી, આ રાહત શિબિરોમાં ખામીઓ છે, સરકારે આ માટે કામ કરવું જોઈએ.