આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે
કોરોના (Corona) વચ્ચે CM રૂપાણી (CM Vijay Rupani)નો અતિ મહત્વપૂર્ણ નિર્ણય
(Important
Decision) લેવામાં
આવ્યો છે. હવે લગ્ન સમારંભ (Wedding Ceremony)માં 200 લોકોની છૂટ આપવામાં આવી છે. આ છૂટછાટ આવતીકાલથી
રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. બંધ હોલ (Hall)માં કેપેસિટીના 50% સુધી જ છૂટ આપવામાં આવશે.
કોરોના ગાઈડલાઈન (Corona’s
Guideline)પ્રમાણે
માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ (Mask, Social distance)નું પાલન જરૂરી છે.
આ વિશે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ
રૂપાણીનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 1000ને બદલે કેન્દ્ર સરકારની
માર્ગદર્શિકા મુજબ 200
લોકોની છૂટ
અપાશે.
આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ
ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટનો અમલ આવતી કાલ એટલે કે
3 નવેમ્બર 2020થી રાજ્યભરમાં અમલી
બનાવવામાં આવશે. બંધ હોલમાં આવા સમારંભના કિસ્સામાં હોલની કેપેસિટીના 50 ટકા સુધી જ છૂટ અપાશે.