• Home
  • News
  • કોરોના અલર્ટ:કૂતરાઓથી ફેલાઈ રહ્યો છે કોરોનાનો નવો સ્ટ્રેન, બાળકો થઈ રહ્યાં છે સંક્રમિત
post

અત્યારસુધીમાં 7 કોરોનાવાયરસ પછી શ્વાન દ્વારા ફેલાતો આ નવો 8મો વાયરસ

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-25 09:44:35

કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં કહેર વરસાવ્યો છે. અત્યારસુધીમાં 7 અલગ અલગ પ્રકારના કોરોનાવાયરસ સામે આવી ચૂક્યા છે, પરંતુ હવે 8મો કોરોનાવાયરસ પણ સામે આવી ચૂક્યો છે. આ વાયરસ ખતરનાક સાબિત થઈ શકે છે, કેમ કે એ જાનવરોમાંથી ડાયરેક્ટ માનવીમાં ફેલાવાના પુરાવા મળ્યા છે. આ કોરોનાવાયરસ કૂતરાઓમાંથી માણસોને અને ખાસ કરીને બાળકોને સંક્રમિત કરી રહ્યો છે. કૂતરામાંથી માણસોમાં ફેલાતો આ પ્રથમ કોરોનાવાયરસ છે.

મલેશિયામાં આઠમા કોરોનાવાયરસના 8 દર્દી મળ્યા હતા
વિજ્ઞાનીઓએ નવા કોરોનાવાયરસને CCoV-HuPn-2018 નામ આપ્યું છે. મલેશિયામાં તેના 8 દર્દી મળ્યા હતા, જેમાં 7 બાળકો હતાં. એક બાળકને ન્યુમોનિયા થયો, પરંતુ એ પછીથી સ્વસ્થ થઈ ગયો હતો. તેને 4-6 દિવસમાં રજા આપી દેવાઈ હતી. મિરર યુકેના રિપોર્ટ અનુસાર, અત્યારે એ વાતની જાણકારી મળી નથી કે આ કોરોનાવાયરસ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે.

આ નવો કોરોનાવાયરસ મહામારીનું સ્વરૂપ લઈ શકે કે કેમ એની તપાસ ચાલી રહી છે. આ વાયરસથી જોકે જેટલા લોકો સંક્રમિત થયા છે એ તમામ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને એનાથી કોઈનું મોત થયું નથી. જોકે ડોક્ટરોનું કહેવું છે કે આ વાયરસની દવા હજુ બની નથી, આથી મોટા પ્રમાણમાં જો આ વાયરસ ફેલાય તો મુશ્કેલી વધી શકે છે.

વિજ્ઞાનીઓએ ચેતવણી-સાવધાની આપી
આ નવા કોરોનાવાયરસ CCoV-HuPn-2018 માટે સાવધાની રાખવી અત્યંત જરૂરી હોવાની ચેતવણી વિજ્ઞાનીઓ આપી રહ્યા છે, કેમ કે કોઈપણ વાયરસ પોતાનું સ્વરૂપ બદલી શકે છે. આમ, જો આ નવા વાયરસમાં પણ મ્યૂટેશન થાય તો એ શક્ય છે કે ખતરનાક બની શકે, આથી એના સંક્રમણથી બચવા માટેના તમામ ઉપાયો અજમાવવા એ જ અત્યારે તો સાચી દવા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post