અત્યારસુધીમાં 7 કોરોનાવાયરસ પછી શ્વાન દ્વારા ફેલાતો આ નવો 8મો વાયરસ
કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં કહેર વરસાવ્યો છે.
અત્યારસુધીમાં 7 અલગ
અલગ પ્રકારના કોરોનાવાયરસ સામે આવી ચૂક્યા છે, પરંતુ હવે 8મો કોરોનાવાયરસ પણ સામે આવી ચૂક્યો
છે. આ વાયરસ ખતરનાક સાબિત થઈ શકે છે, કેમ કે એ જાનવરોમાંથી ડાયરેક્ટ
માનવીમાં ફેલાવાના પુરાવા મળ્યા છે. આ કોરોનાવાયરસ કૂતરાઓમાંથી માણસોને અને ખાસ
કરીને બાળકોને સંક્રમિત કરી રહ્યો છે. કૂતરામાંથી માણસોમાં ફેલાતો આ પ્રથમ
કોરોનાવાયરસ છે.
મલેશિયામાં આઠમા કોરોનાવાયરસના 8 દર્દી મળ્યા હતા
વિજ્ઞાનીઓએ
નવા કોરોનાવાયરસને CCoV-HuPn-2018 નામ
આપ્યું છે. મલેશિયામાં તેના 8 દર્દી મળ્યા હતા, જેમાં 7 બાળકો હતાં. એક બાળકને ન્યુમોનિયા
થયો, પરંતુ
એ પછીથી સ્વસ્થ થઈ ગયો હતો. તેને 4-6 દિવસમાં રજા આપી દેવાઈ હતી. મિરર
યુકેના રિપોર્ટ અનુસાર, અત્યારે
એ વાતની જાણકારી મળી નથી કે આ કોરોનાવાયરસ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે.
આ નવો કોરોનાવાયરસ મહામારીનું સ્વરૂપ લઈ શકે કે કેમ એની તપાસ
ચાલી રહી છે. આ વાયરસથી જોકે જેટલા લોકો સંક્રમિત થયા છે એ તમામ સ્વસ્થ થઈ ચૂક્યા
છે અને એનાથી કોઈનું મોત થયું નથી. જોકે ડોક્ટરોનું કહેવું છે કે આ વાયરસની દવા
હજુ બની નથી, આથી
મોટા પ્રમાણમાં જો આ વાયરસ ફેલાય તો મુશ્કેલી વધી શકે છે.
વિજ્ઞાનીઓએ ચેતવણી-સાવધાની આપી
આ નવા
કોરોનાવાયરસ CCoV-HuPn-2018 માટે
સાવધાની રાખવી અત્યંત જરૂરી હોવાની ચેતવણી વિજ્ઞાનીઓ આપી રહ્યા છે, કેમ કે કોઈપણ વાયરસ પોતાનું સ્વરૂપ
બદલી શકે છે. આમ, જો આ
નવા વાયરસમાં પણ મ્યૂટેશન થાય તો એ શક્ય છે કે ખતરનાક બની શકે, આથી એના સંક્રમણથી બચવા માટેના તમામ
ઉપાયો અજમાવવા એ જ અત્યારે તો સાચી દવા છે.