પ્રવાસીઓથી રોજ 153 કરોડ રૂપિયા મળતા હતા, હવે ફક્ત 22 કરોડ મળે છે
નવી દિલ્હી: કોરોના
સંકટને લીધે રેલવેને આશરે 24,717 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. પેસેન્જર ટ્રેનો બંધ
હોવા તથા માલવહનમાં ઘટાડો થવાને કારણે આટલું નુકસાન થયું હતું. પેસેન્જર ટ્રેનો ન
ચાલવાથી 12 ઓગસ્ટ સુધી આશરે 18,399 કરોડ
રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. રેલવેએ 22 માર્ચે તમામ
13 હજારથી વધુ ટ્રેનો રદ કરી હતી, જે 12 ઓગસ્ટ સુધી દોડી નહીં શકે. હાલ ફક્ત 230 સ્પેશિયલ ટ્રેનો દોડી રહી છે. મુસાફરોની સંખ્યા સામાન્ય
દિવસોની તુલનાએ 2 ટકાથી પણ ઓછી રહી ગઈ છે.
મુસાફરોથી થતી આવક સામાન્ય દિવસોની તુલનાએ 86 ટકા સુધી ઘટી ગઈ છે. ગત ત્રણ મહિનામાં માલવહન ઓછું થવાને
લીધે 6,318 કરોડ રૂપિયાનું નુકસાન થયું. રેલવે અગાઉ રોજ આશરે 8 હજાર માલગાડીઓ ઓપરેટ કરતું હતું. રેલવે બોર્ડના
સભ્ય(યાતાયાત) પી.કે.મિશ્રાએ જણાવ્યું કે 2019ની તુલનાએ
ગત મહિને આશરે 80 ટકા સુધી માલવહન થયું. એટલે કે કોરોના કાળમાં માલવહનમાં 20 ટકાનું નુકસાન થયું.
કોરોના સંકટમાં યાત્રીઓની સંખ્યા 2%થી ઓછી રહી
કોરોના કાળ |
પહેલાં |
હવે |
મુસાફર ટ્રેન |
13 હજાર |
230 |
માલગાડી |
8 હજાર |
7 હજાર |
મુસાફર |
2.30 કરોડ |
3.56 લાખ |
મુસાફર આવક |
153 કરોડ |
22 કરોડ |
માલવહન આવક |
351 કરોડ |
281 કરોડ |
વર્ષ દરમિયાન રેલવેને ક્યાંથી કેટલી આવક
વિગત |
આવક કરોડ રૂપિયામાં |
મુસાફર |
56,000 |
માલવહન |
1,28,422 |
પાર્સલ સેવા |
6000 |
અન્ય સ્ત્રોત |
9000 |
રેલવે વર્ષ દરમિયાન ક્યાં કેટલો ખર્ચ કરે છે
વિગત |
ખર્ચ કરોડ રૂપિયામાં |
પગાર-પેન્શન |
1,35,354 |
ડીઝલ-વીજળી |
28,780 |
મેન્ટેનન્સ |
9347 |
અન્ય |
11,689 |