દેશમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન ભયાનક બની રહી છે. દૈનિક કેસનો આંકડો તો વધી જ રહ્યો છે પરંતુ કોરોનાની આ બીજી લહેરમાં જે રીતે મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે તે ચિંતાજનક બાબત છે.
નવી દિલ્હી: દેશમાં કોરોનાની સ્થિતિ
દિન પ્રતિદિન ભયાનક બની રહી છે. દૈનિક કેસનો આંકડો તો વધી જ રહ્યો છે પરંતુ
કોરોનાની આ બીજી લહેરમાં જે રીતે મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે તે ચિંતાજનક બાબત
છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.79 લાખથી વધુ કેસ નોંધાયા
છે જ્યારે એક જ દિવસમાં 3645
દર્દીઓએ
કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
એક જ દિવસમાં 3.79 લાખથી વધુ કેસ
કેન્દ્રીય
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આજે સવારે બહાર પાડેલા લેટેસ્ટ આંકડા મુજબ સમગ્ર દેશમાં
કોરોના વાયરસના નવા 3,79,257
દર્દીઓ
નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,83,76,524 પર પહોંચી ગઈ છે.
જેમાંથી 1,50,86,878
લોકો
રિકવર થયા છે. જ્યારે 30,84,814
દર્દીઓ
હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં દેશમાં કોરોનાથી 3645 લોકોના મોત થયા છે. આ
સાથે કુલ મૃતકોની સંખ્યા 2,04,832
થઈ
છે. દેશમાં એક જ દિવસમાં 2,69,507
લોકો
કોરોનાને માત આપીને રિકવર થયા છે. રસીકરણ અભિયાન હેઠળ 15,00,20,648 લોકોને અત્યાર સુધીમાં
રસી આપવામાં આવી છે.
બુધવારે 17
લાખથી
વધુ ટેસ્ટ
ઈન્ડિયન
કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કુલ 28,44,71,979 કોરોના ટેસ્ટ કરવામાં
આવ્યા છે. જેમાંથી 17,68,190
ટેસ્ટ
બુધવારે કરવામાં આવ્યા હતાં.
દિલ્હીમાં
પ્રતિબંધોની કોઈ અસર નહી!
રાજધાની
દિલ્હીમાં બુધવારે કોરોના વાયરસના નવા 25,986 દર્દીઓ નોંધાયા. એક જ દિવસમાં
સંક્રમણના કારણે 368
લોકોએ
જીવ ગુમાવવા પડ્યા. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા
મુજબ નવા કેસની સાથે જ રાજધાનીમાં હવે કોરોનાના કુલ કેસની સંખ્યા 10,53,701 પર પહોંચી ગઈ છે. જ્યારે
અત્યાર સુધીમાં કુલ 14,616
લોકોએ
કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાથી
સ્થિતિ વિકટ
મહારાષ્ટ્રમાં
કડક પ્રતિબંધો લાગુ હોવા છતાં કોરોનાની ગતિ ધીમી પડવાનું નામ લેતી નથી. બુધવારે
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે બહાર પાડેલા આંકડા મુજબ રાજ્યમાં કોરોનાના નવા 63,309 કેસ નોંધાયા છે. આ સાથે
કુલ કેસની સંખ્યા 44,73,394
અને
મૃતકોનો આંકડો 67,214
પર
પહોંચી ગયો છે. એક જ દિવસમાં રાજ્યમાં 985 લોકોના કોરોનાથી મોત થયા.
ગુજરાતમાં કોરોનાના નવા
કેસમાં સામાન્ય ઘટાડો
ગુજરાતની
વાત કરીએ તો રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બુધવારે બહાર પડેલા આંકડા મુજબ
રાજ્યમાં કોરોનાના નવા 14120
દર્દીઓ
નોંધાયા છે. એક જ દિવસમાં 174
લોકોએ
કોરોનાથી જીવ ગુમાવ્યા. આ સાથે 8595 દર્દીઓ રિકવર પણ થયા. રાજ્યમાં સૌથી વધુ કેસ
અમદાવાદમાં 5740
અને
ત્યારબાદ સુરતમાં 2116
નવા
દર્દીઓ નોંધાયા.