દેશભરમાં કોરોનાના નવા કેસમાં 21.3 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે.
નવી દિલ્હી: દેશભરમાં કોરોનાના નવા કેસમાં 21.3 ટકા જેટલો ઉછાળો જોવા
મળ્યો છે. છેલ્લા 24
કલાકમાં
કોરોનાના 37
હજારથી
વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 369 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા
છે.
એક દિવસમાં 37 હજારથી વધુ કોરોના કેસ
કેન્દ્રીય
આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના
નવા 37,875
કેસ
નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા હવે 3,30,96,718 પર પહોંચી છે. એક
દિવસમાં 39,114
લોકો
રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,22,64,051 થઈ છે. હાલ દેશભરમાં
કોરોનાના 3,91,256
દર્દીઓ
સારવાર હેઠળ છે. ગઈ કાલે દેશમાં કોરોનાના 31,222 દર્દીઓ નોંધાયા હતા.
24
કલાકમાં
આટલા લોકોએ જીવ ગુમાવ્યા
સરકારી
આંકડા મુજબ છેલ્લા 24
કલાકમાં
કોરોનાના કારણે 369
દર્દીઓએ
જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી થયેલા મોતનો આંકડો 4,41,411 પર પહોંચી ગયો છે.
કોરોનાને ડામવા માટે ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ 70,75,43,018 ડોઝ આપવામાં આવ્યા
છે જેમાંથી 78,47,625
ડોઝ
છેલ્લા 24
કલાકમાં
આપવામાં આવ્યા.
એઈડ્સ,
ટીબી, મલેરિયા જેવી
બીમારીઓ વિરુદ્ધ ચાલતી જંગમાં ખરાબ અસર
અત્રે
જણાવવાનું કે કોરોના મહામારીએ દુનિયામાં ઘાતક બીમારીઓ જેમ કે એચઆઈવી એઈડ્સ, મલેરિયા ને
ટ્યૂબરક્લોસિસ એટલે કે ટીબી વિરુદ્ધ ચાલતી જંગ પર વિનાશકારી અસર નાખી છે. ગ્લોબલ
ફંડના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2020ના આંકડા અલગ કહાની જણાવે છે.
ગ્લોબલ ફંડના પીટર સેન્ડસે કહ્યું કે અમને કોવિડ-19ને લઈને આશંકા હતી તે
સાચી સાબિત થઈ છે. ફંડે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એચઆઈવી ટેસ્ટિંગ અને રોકથામ
સંબંધિત સેવાઓમાં ખુબ ઘટાડો નોંધાયો છે.
ફંડના
કાર્યકારી નિદેશક પીટર સેન્ડસે કહ્યું કે સંગઠનની 20મી વર્ષગાંઠ પર અમારો
રિપોર્ટ મોટા ફેરફારોને સામે લાવે છે. તેમણે કહ્યું કે છેલ્લા બે દાયકામાં આપણે
એચઆઈવી, ટીબી અને મેલેરિયા સામે
જે જંગ લડી હતી તેના પર કોરોના મહામારીની ભયાનકતા ભારે સાબિત થઈ છે. પહેલીવાર
અમારી તપાસ,
પરિણામો
અને પરિણમ પહેલાના મુકાબલા નિરાશાજનક રહ્યા છે. એચઆઈવી સંબધિત તપાસ અને રોકથામના
અભિયાનો પર ભારે અસર થઈ છે.