રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 12 હજાર 978 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 158 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુઆંકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમદાવાદ: ગુજરાતમાં દિવાળી બાદ
કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું હતું. સતત દરરોજ કેસમાં રેકોર્ડબ્રેક કેસોનો વધારો
નોંધાતો હતો. એમાં પણ ખાસકરીને ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં
કોરોનાના કેસ સૌથી વધુ છે. ત્યારે છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં
કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.
જેના
પરિણામ સ્વરૂપે ડ્રાઇવ થ્રુ કોવિડ ટેસ્ટ માટેની લાઈનમાં પણ મોટો ઘટાડો થયો છે. એક સમયે 5 થી 7 હજાર લોકો ટેસ્ટ કરાવવા
માટે આવતા હતા,
જે
હાલમાં દૈનિક 500
થી
700 લોકો ટેસ્ટ માટે આવી
રહ્યા છે. તેમજ ધનવંતરી કોવિડ હોસ્પિટલની બહાર નહીવત ભીડ જોવા મળી રહી છે. ગણતરીના
લોકો જ હોસ્પિટલની બહાર જોવા મળી રહ્યા છે. આજે આઇસીયુ વગરના 25 બેડ ઉપલબ્ધ હોવાનું
જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે 900 બેડની હોસ્પિટલની અંદર 560 દર્દીઓ સારવાર લઇ રહ્યા
છે.
તો
આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માઈક્રો કન્ટેઈન્મેન્ટ
વિસ્તારોની નવી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં અમદાવાદના 14 વિસ્તારોને માઈક્રો
કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોરોનાના કેસ ઘટવાની સાથે-સાથે
માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
જો
સુરત શહેરની વાત કરવામાં આવે તો ગતરોજ માત્ર 9 દર્દીઓના મોત થયા હતા. અને કોરોના સંક્રમિતોની સંખ્યા
પણ ઘટાડો નોંધાયો છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થતાં તંત્રએ રાહતનો
શ્વાસ લીધો છે. સ્મશાનમાં પહેલાં 12 કલાક જેટલું વેઇટિંગ હતું જે
હવે માત્ર 1
કલાકમાં
નંબર આવી જાય છે.
અત્રે
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 12 હજાર 978 નવા કેસ સામે આવ્યા છે.
આ દરમિયાન 158
લોકોના
મૃત્યુ થયા છે. મૃત્યુઆંકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 હજાર 146 દર્દીઓએ કોરોનાને માત
આપી છે.
છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુની
વિગત
અમદાવાદ
શહેરમાં છેલ્લા 24
કલાકમાં
26 દર્દીઓના મોત થયા છે.
સુરત શહેરમાં 9,
મહેસાણામાં
2, વડોદરા શહેરમાં 11, ભાવનગર શહેરમાં 5, રાજકોટ શહેરમાં 10, જામનગર શહેરમાં 7. સુરત ગ્રામ્યમાં 4, જામનગર ગ્રામ્યમાં 6, બનાસકાંઠામાં 6, ભાવનગર ગ્રામ્યમાં 6, વડોદરા ગ્રામ્યમાં 8 લોકોના મોત થયા છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં
એક્ટિવ કેસ 146818
છે.
જેમાંથી 722
દર્દીઓ
વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 440276 લોકો સાજા થયા છે.
અત્યાર સુધી 7508
લોકોએ
કોરોના મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યનો રિકવરી રેટ 74.05 ટકા પહોંચી ગયો છે.